
આમ જો આપણે જોઈએ તો કેટલાક એવા તહેવારો છે, જે રાત્રિના સમયે સેલિબ્રેટ કરવામાં આવે છે. તેમાં મહાશિવરાત્રી, જન્માષ્ટમી, દિવાળી, શરદપૂનમ, કરવા ચોથ, નવરાત્રિ, હોળી અને પોષી પૂનમ જેવા તહેવારો છે. (all photo : canva)

નવરાત્રિનો તહેવાર પણ રાત્રિના સમયે ઉજવવામાં આવે છે. વૈજ્ઞાનિક માન્યતા અનુસાર જ્યારે પણ આપણે રાત્રે મંત્રનો જાપ કરીએ છીએ, ત્યારે તે તરંગોનું રૂપ ધારણ કરીને ભગવાન પાસે જાય છે અને આપણી મનોકામનાઓ પૂર્ણ થાય છે. અવાજ દિવસ કરતાં રાત્રે ખૂબ દૂર જાય છે, આ પણ રાત્રિના મહત્વનું કારણ હોઈ શકે છે.

દર વર્ષે ભાદ્રપદ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવામાં આવે છે.ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. દ્વારકા અને મથુરા સહિત વિશ્વભરનાં કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમીની રાત્રે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી તથા આરતી, પૂજાના કાર્યક્રમો હોય છે.