
આગામી દિવસોમાં ભારતીય ક્રિકેટ ટીમમાં પરિવર્તન થવાની સંભાવના છે. સતત બીજી વખત T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયામાં નેતૃત્વ પરિવર્તનની શક્યતા વધી ગઈ છે.

ટીમને વર્લ્ડ કપ જીતાડ્યા છતાં સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ જોખમમાં છે. એક અહેવાલ મુજબ સંજુ સેમસન ભારતીય ટીમના નવા T20 કેપ્ટન બની શકે છે. IPL સમાપ્ત થયા પછી તેમને કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવી શકે છે.

T20 ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ અંગે અટકળો ચાલી રહી છે. એવું માનવામાં આવે છે કે આગામી વખતે જ્યારે ટીમ ઈન્ડિયા આ ફોર્મેટમાં મેદાનમાં ઉતરશે, ત્યારે એક નવો કેપ્ટન હશે.

પરંતુ નવા કેપ્ટન અંગે અલગ અલગ દાવા કરવામાં આવી રહ્યા છે. તાજેતરના એક અહેવાલમાં સૌપ્રથમ ખુલાસો થયો હતો કે વર્તમાન કેપ્ટન સૂર્યકુમાર યાદવના બેટિંગ ફોર્મથી સિલેક્શન કમિટી નાખુશ છે અને તેમને કેપ્ટનશીપ પરથી દૂર કરવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં શ્રેયસ ઐયરને તેમના સ્થાને નિયુક્ત કરવામાં આવી શકે છે.

પરંતુ હવે એક રિપોર્ટના અહેવાલમાં ખુલાસો થયો છે કે ઐયર નહીં, સંજુ સેમસન ટીમ ઈન્ડિયાના નવા T20 કેપ્ટન હોઈ શકે છે. ટીમ ઈન્ડિયા જૂન મહિનામાં T20 માટે આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડના પ્રવાસે જશે ત્યારે સેમસન પહેલીવાર ભારતીય ટીમનું નેતૃત્વ કરી શકે છે.

સંજુ સેમસન તાજેતરમાં સારા ફોર્મમાં છે. એક સિદ્ધિ તેણે વર્લ્ડ કપ દરમિયાન દર્શાવી હતી. જ્યારે તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો અને ટીમની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પણ જાહેર કરવામાં આવ્યો હતો. વધુમાં તે હાલમાં IPL 2026માં બેટથી અસાધારણ રીતે સારું પ્રદર્શન કરી રહ્યો છે.

શ્રેયસ અય્યર 2023 પછીથી ટી20 ટીમથી બહાર ચાલી રહ્યો છે. તેથી હાલમાં અય્યર માટે ટીમમાં વાપસી જ સૌથી મોટો પડકાર છે. તેમની વાપસીની શક્યતા તો છે, પરંતુ સીધા કેપ્ટન બનાવવાની શક્યતા ઓછી દેખાઈ રહી છે.