
આ ઉનાળાની સિઝનમાં રેલવેએ અમદાવાદ અને દાનાપુર વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે. આ અંગે રેલવે દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. મુસાફરો રેલવેની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લઈને ટ્રેનનું ટાઈમટેબલ જોઈ શકો છો.

ટ્રેન નંબર 09417: અમદાવાદ-દાનાપુર સમર સ્પેશિયલ ટ્રેન અમદાવાદથી 15 એપ્રિલ 2024 થી 24 જૂન 2024 સુધી દર સોમવારે સવારે 09:10 કલાકે ઉપડશે અને તમામ નિર્ધારિત સ્ટેશનો પર રોકાઈને બીજા દિવસે રાત્રે 20:30 કલાકે દાનાપુર પહોંચશે.

ટ્રેન નંબર 09417: અમદાવાદ-દાનાપુર સમર સ્પેશિયલ ટ્રેન અમદાવાદથી 15 એપ્રિલ 2024 થી 24 જૂન 2024 સુધી દર સોમવારે સવારે 09:10 કલાકે ઉપડશે અને તમામ નિર્ધારિત સ્ટેશનો પર રોકાઈને બીજા દિવસે રાત્રે 20:30 કલાકે દાનાપુર પહોંચશે.

ટ્રેન નંબર 09418: દાનાપુર-અમદાવાદ સમર સ્પેશિયલ ટ્રેન દાનાપુરથી 16 એપ્રિલ 2024 થી 25 જૂન 2024 સુધી દર મંગળવારે 23:50 કલાકે ઉપડશે અને તેના તમામ નિર્ધારિત સ્ટેશનો પર રોકીને ત્રીજા દિવસે 11:10 કલાકે અમદાવાદ પહોંચશે.

આ ટ્રેનનું સ્ટોપેજઃ મુસાફરી દરમિયાન આ ટ્રેન બંને દિશામાં નડિયાદ, છાયાપુરી, રતલામ, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, હિંડૌન સિટી, બયાના, ભરતપુર, મથુરા, કાસગંજ, ફરુખાબાદ, કાનપુર સેન્ટ્રલ, લખનઉ, સુલતાનપુર, જૌનપુર સિટી, વારાણસી પંડિત દિનદયાલ ઉપાધ્યાય જંક્શન, બક્સર અને આરા સ્ટેશન પર રોકાશે.