IPL 2026 : શ્રેયસ અય્યરની સદીથી PBKSની જીત, લખનૌને હરાવ્યા બાદ પંજાબની નજર હવે RR પર

ગઈ કાલે 23મેના દિવસે રમવામાં આવેલી IPL 2026ની 68મી મેચમાં, પંજાબ કિંગ્સે (PBKS) લખનૌ સુપર જાયન્ટ્સને (LSG) હરાવ્યું. આ જીત સાથે પંજાબ કિંગ્સ પ્લેઓફની રેસમાં યથાવત છે.

| Updated on: May 24, 2026 | 9:11 AM
1 / 7
લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ આ સીઝનનો છેલ્લો સામનો જીતવામાં નિષ્ફળ રહીં. આ મેચમાં, શ્રેયસ ઐયરે પંજાબ માટે મેચવિનિંગ ઇનિંગ રમી.

લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ આ સીઝનનો છેલ્લો સામનો જીતવામાં નિષ્ફળ રહીં. આ મેચમાં, શ્રેયસ ઐયરે પંજાબ માટે મેચવિનિંગ ઇનિંગ રમી.

2 / 7
મેચમાં, લખનૌ સુપર જાયન્ટ્સે પ્રથમ બેટિંગ કરી અને મોટો સ્કોર બનાવ્યો. લખનૌ માટે યુવા બેટ્સમેન આયુષ બદોની અને જોશ ઇંગ્લિસે આક્રમક બેટિંગ કરી. જોશ ઈંગ્લીસે 44 બોલમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 77 રન બનાવ્યા.

મેચમાં, લખનૌ સુપર જાયન્ટ્સે પ્રથમ બેટિંગ કરી અને મોટો સ્કોર બનાવ્યો. લખનૌ માટે યુવા બેટ્સમેન આયુષ બદોની અને જોશ ઇંગ્લિસે આક્રમક બેટિંગ કરી. જોશ ઈંગ્લીસે 44 બોલમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 77 રન બનાવ્યા.

3 / 7
આ દરમિયાન આયુષ બદોનીએ માત્ર 18 બોલમાં 238.88 ના સ્ટ્રાઈક રેટથી 43 રનની ઇનિંગ રમી. જેમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે. અબ્દુલ સમદ 37 રન પર નોટ આઉટ રહ્યો.

આ દરમિયાન આયુષ બદોનીએ માત્ર 18 બોલમાં 238.88 ના સ્ટ્રાઈક રેટથી 43 રનની ઇનિંગ રમી. જેમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે. અબ્દુલ સમદ 37 રન પર નોટ આઉટ રહ્યો.

4 / 7
બીજી તરફ, માર્કો જેન્સેન અને યુઝવેન્દ્ર ચહલ પંજાબ માટે સૌથી સફળ બોલર રહ્યા. બંનેએ 2-2 વિકેટ લીધી. અઝમતુલ્લાહ ઓમરઝાઈ અને શશાંક સિંહે 1-1 વિકેટ લીધી હતી.

બીજી તરફ, માર્કો જેન્સેન અને યુઝવેન્દ્ર ચહલ પંજાબ માટે સૌથી સફળ બોલર રહ્યા. બંનેએ 2-2 વિકેટ લીધી. અઝમતુલ્લાહ ઓમરઝાઈ અને શશાંક સિંહે 1-1 વિકેટ લીધી હતી.

5 / 7
મોટા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પંજાબ કિંગ્સની શરૂઆત સારી નહોતી. PBKS ટીમે માત્ર 22 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ શ્રેયસ અય્યર અને પ્રભસિમરન સિંહે સારી બેટીંગ કરીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી.

મોટા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી પંજાબ કિંગ્સની શરૂઆત સારી નહોતી. PBKS ટીમે માત્ર 22 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ શ્રેયસ અય્યર અને પ્રભસિમરન સિંહે સારી બેટીંગ કરીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી.

6 / 7
પ્રભસિમરન સિંહે 39 બોલમાં 69 રન બનાવ્યા. શ્રેયસ ઐય્યર 51 બોલમાં 101 રન બનાવી નોટ આઉટ રહ્યો. પંજાબે માત્ર 18 ઓવરમાં જ ટાર્ગેટ હાંસલ કરી લીધું.

પ્રભસિમરન સિંહે 39 બોલમાં 69 રન બનાવ્યા. શ્રેયસ ઐય્યર 51 બોલમાં 101 રન બનાવી નોટ આઉટ રહ્યો. પંજાબે માત્ર 18 ઓવરમાં જ ટાર્ગેટ હાંસલ કરી લીધું.

7 / 7
પંજાબ કિંગ્સ માટે પ્લેઓફની આશા ભલે જીવંત હોય પણ જો આજે (24મે) મુંબઈ ઈન્ડિયન્સ સામે રાજસ્થાન રોયલ્સ જીતે તો PBKSની ટીમ ફ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે.

પંજાબ કિંગ્સ માટે પ્લેઓફની આશા ભલે જીવંત હોય પણ જો આજે (24મે) મુંબઈ ઈન્ડિયન્સ સામે રાજસ્થાન રોયલ્સ જીતે તો PBKSની ટીમ ફ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે.

Follow Us