
પાણી વિશે મિથ : આમાંની એક સામાન્ય માન્યતા એ છે કે ખોરાક સાથે અથવા પછી પાણી પીવાથી પેટના એસિડ પાતળું થઈ શકે છે, જે તેમની અસરકારકતા ઘટાડે છે અને તેઓ ખોરાકને યોગ્ય રીતે પચાવી શકતા નથી. આ પાચનતંત્રને અસ્વસ્થ કરી શકે છે અને પેટ ફૂલવું અને ગેસ જેવી અન્ય સમસ્યાઓ તરફ દોરી શકે છે પરંતુ સત્ય એ છે કે પેટના એસિડને એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે કે તે ભોજન દરમિયાન પાણી પીવા છતાં અસરકારક રીતે કામ કરી શકે છે.

પાણી વિશે એવું પણ કહેવાય છે કે, જમતી વખતે પાણી પીવાથી વજન વધે છે. જો કે આવું નથી. હા, જો તમે ખાવાની સાથે સુગરથી ભરપૂર ડ્રિન્ક્સ પીઓ છો તો તમારે વજન વધવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

તમારે પાણી કેમ પીવું જોઈએ? : પેટનો અંદરનો ભાગ ખૂબ જ એસિડિક હોય છે જેનું pH સામાન્ય રીતે 1.5 થી 3.5 ની વચ્ચે રહે છે, જે પાચન માટે જરૂરી છે. પેટ મોટા પ્રમાણમાં ખોરાક અને પ્રવાહીને સમાવવા માટે રચાયેલું છે. જ્યારે તમે ખાઓ કે પીઓ ત્યારે પેટ અંદર આવતા પદાર્થોને સમાવવા માટે ફેલાય છે. જ્યારે પાણી પેટમાં જાય છે અને તે અન્ય વસ્તુઓ સાથે ભળી જાય છે. તે પેટના ગેસ્ટ્રિક જ્યુસની એસિડિટીમાં પણ ખાસ ફેરફાર કરતું નથી.

પાચનમાં પાણીની ભૂમિકા શું છે? : પાચનની સાથે-સાથે શરીર માટે હાઇડ્રેશન પણ મહત્વપૂર્ણ છે. ભોજન પહેલાં....ભોજન દરમિયાન અને પછી પાણી પીવાથી પાચનમાં ઘણી રીતે મદદ મળે છે. પાણી પોષક તત્વોને તોડવામાં મદદ કરે છે અને પેટમાં એન્ઝાઈમેટિક પ્રક્રિયાઓમાં મદદ કરે છે. તે પાચનતંત્રને સરળ રીતે કાર્ય કરવામાં મદદ કરે છે અને કબજિયાતનું જોખમ ઘટાડે છે. પાણી પાચન પછી આખા શરીરમાં પોષક તત્વો પહોંચાડવામાં પણ મદદ કરે છે.

ભોજન સાથે પાણી પીવાના ફાયદા શું છે? : ભોજનની સાથે તમે થોડીક જ માત્રામાં પાણી પી શકો છો અને ભોજન કરી લીધા પછી 20 થી 30 મિનિટ બાદ તમે પાણી પી શકો છો. પાણી ખોરાકના કણોને નરમ કરવામાં મદદ કરી શકે છે, જે પેટને પચવામાં સરળ બનાવે છે. પાણી તમને પેટ ભરેલું રાખવામાં મદદ કરી શકે છે. જેથી તમે વારંવાર ખાવાનું ટાળી શકો છો અને વજન નિયંત્રણમાં રહે છે. તે તમારા પેટને પણ સાફ કરે છે.
Published On - 2:02 pm, Tue, 26 November 24