
આશ્રમ 'સત્યાગ્રહ' (અહિંસાત્મક વિરોધ) ના માર્ગે ચાલીને સત્ય અને સ્વચ્છતાના આધારે જીવન જીવવાની પદ્ધતિ શિખવતો. ગાંધીજી માટે આ આશ્રમ એક આદર્શ જીવનશૈલી માટેનું પ્રયોગશાળાનું સ્થાન હતું. (Credits: - Wikipedia)

સાબરમતી આશ્રમ એ 1930માં મહાત્મા ગાંધી દ્વારા શરૂ કરાયેલી દાંડી કૂચ નું મુખ્ય કેન્દ્ર હતું. આ કૂચ 12 માર્ચ, 1930ના રોજ શરૂ થઈ હતી, જ્યાં ગાંધીજી અને તેમના અનુયાયીઓએ બ્રિટિશ સરકારના મીઠા કાયદાના વિરોધમાં 241 માઇલ દૂર દાંડી તરફ કૂચ કરી હતી. (Credits: - Wikipedia)

સાબરમતી આશ્રમમાંથી જ ગાંધીજીએ 'સ્વરાજ'નો સંદેશ આપ્યો હતો, સ્વતંત્ર ભારત માટેના પ્રયાસો અહીંથી આરંભ થયા હતા. આશ્રમમાં ખાદી ઊદ્યોગ, સફાઈ, આત્મનિર્ભરતા અને આધ્યાત્મિક તાલીમ આપવામાં આવતી. (Credits: - Wikipedia)

આશ્રમ આજે પણ એક સશક્ત સંદેશ આપે છે, સત્ય, અહિંસા અને સાદગી. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે લોકોએ સાબરમતી આશ્રમને ગાંધીવાદના કેન્દ્રસ્થાન તરીકે સ્વીકાર્યું છે. દર વર્ષે હજારો પ્રવાસીઓ અને વિઝિટર્સ આશ્રમની મુલાકાત લે છે. ( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે. વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.) (Credits: - Wikipedia)
Published On - 6:22 pm, Wed, 30 April 25