
આ ટ્રેન અમદાવાદ જંક્શનથી દરભંગા જંક્શન સુધી ચાલે છે. આજે આપણે અમદાવાદથી અયોધ્યા જવું છે તો તેના ભાડા વિશે જાણશું.

અમદાવાદથી અયોધ્યા જવા માટે ટ્રેન નંબર- 19165 - Sabarmati Express ચાલે છે. અમદાવાદ સ્ટેશન પરથી રાત્રે 11:10 વાગ્યે શરૂ થાય છે. આ ટ્રેન બુધવાર, શુક્રવાર અને રવિવારે ચાલે છે.

નડિયાદ, રતલામ , નાગડા જં, ઉજ્જૈન જં, બિયાવરા રાજગઢ, અશોક નગર, લલિતપુર વગેરે સ્ટેશનો પરથી પસાર થાય છે. આખા રુટના પ્રવાસ દરમિયાન આ ટ્રેન 62 સ્ટેશનો પર સ્ટોપ કરે છે.

લખનઉ ત્રીજા દિવસે 01:10 AMએ પહોંચાડે છે. ત્યાંથી બારાબંકી 01:48 પહોંચે છે અને અયોધ્યા ધામ સ્ટેશન પર ત્રીજા દિવસે 04:24 AM એ પહોંચાડશે.

આટલા રૂટ દરમિયાન આ ટ્રેન અમદાવાદથી અયોધ્યા સુધીમાં કુલ અંદાજિત 1397 જેટલું કિલોમીટર કાપે છે. આ ટ્રેનની ટિકિટ અમદાવાદથી અયોધ્યા સુધીમાં 2Aની રુપિયા 2255, 3A રુપિયા 1540, SLના રુપિયા 570 છે.
Published On - 1:56 pm, Wed, 24 January 24