
ઘાટલોડિયા વિધાનસભા સિવાય તમામ વિધાનસભામાં કામગીરી નબળી છે તેવું તેમણે ટકોર કરી. PM મોદી આયુષ્માન કાર્ડની મહત્વની યોજના લાવ્યા છે તેવું પણ તેમણે જણાવ્યું હતું. અમિત શાહે કહ્યું, આપણી લોકસભામાં 70 વર્ષથી વધુ વયના 1 લાખ 85 હાજર મતદારો છે.

તમામ ધારાસભ્યો, પદાધિકારીઓ પાસે મતદાર યાદી પહોંચી ચૂકી છે કોઈ 70 વર્ષથી લોકો રહી ન જાય તે જોજો.. ધારાસભ્યો, પદાધિકારીઓને આયુષ્માન વય વંદના કાર્ડ માટે કેમ્પ કરવા પણ સૂચના આપી. અમિત શાહે કહ્યું આજે કાર્ડને લઈ કેટલીક ટેકનિકલ મુશ્કેલીઓ મારા ધ્યાન પર મૂકાઈ છે જેનું એક બે દિવસમાં નિવારણ આવી જશે.
Published On - 11:22 pm, Mon, 18 November 24