
કરિના કપુરની બહેન કરિશ્મા કપુર પણ લીલાવતી હોસ્પિટલ પહોંચી હતી. આ દરમિયાન સૈફ અલી ખાન હુમલા કેસમાં મુંબઈ પોલીસે 10 ટીમો બનાવી છે. આરોપી ઘરમાં કેવી રીતે ઘૂસ્યો? તમે હુમલામાંથી કેવી રીતે બહાર આવ્યા? આ તમામ બાબતો તપાસ હેઠળ છે. પોલીસને શંકા છે કે આરોપી સીડી પરથી ઘરમાં પ્રવેશ્યો હતો અને તે જ સીડી પરથી ભાગી ગયો હતો. સૈફ અલી ખાનને છ ઘા મારવામાં આવ્યો છે. છરાબાજી બાદ સૈફ અલી ખાનને રિક્ષા દ્વારા ઘાયલ અવસ્થામાં લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, CIU (ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટ) આ મામલાની તપાસ કરી રહી છે.

લીલાવતી હોસ્પિટલમાં દાખલ સૈફ અલી ખાનને મળવા માટે તેની બહેન સોહાઅલી ખાન પહોચી હતી.

સૈફ અલી ખાનના બનેવી અને સોહા અલીખાનના વર કૃણાલ ખેમુ પણ, સૈફ અલી ખાન પર ચાલુથી હુમલો થયાની જાણ થતા જ લીલાવચી હોસ્પિટલ દોડી આવ્યો હતો. ( તસવીર સૌજન્ય-PTI)
Published On - 7:02 pm, Thu, 16 January 25