
પરશોત્તમ રૂપાલા અમરેલીના ઈશ્વરીયા વિસ્તાર માંથી આવે છે. જેથી તેમના વોટિંગ કાર્ડ અનુસાર અમરેલીના વોટિંગ લિસ્ટમાં તેમનું નામ હશે. જેથી અમરેલીમાં રૂપાલા, ભરત સુતરીયાને મત આપવા જશે. જેથી તેઓ રાજકોટમાં પોતાને મત આપી શકશે નહીં. તેઓ 7 તારીખે મંગળવારે સવારે 7 વાગ્યે પ્રાથમિક શાળા ઈશ્વરીયા, અમરેલી ખાતે જઈ પોતાનો મત આપશે.

આ જ રીતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ પોતાને મત નહીં આપી શકે. કારણ કે મનસુખ માંડવિયા પોરબંદર લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર છે. જોકે તેમના વોટિંગ કાર્ડ અનુસાર તેમનું નામ ભાવનગરના પાલિતાણા વિસ્તારની મતદાર યાદીમાં નામ હોવાથી તેઓ પોતાનો મત આપવા ભાવનગર જશે. 7 તારીખે મંગળવારે સવારે 8 કલાકે તેઓ સરકારી હાઇસ્કૂલ આણોલ, પાલિતાણા ખાતે મતદાન કરશે.
Published On - 5:57 pm, Mon, 6 May 24