
હકાલપટ્ટીનો કાનૂની માર્ગ: મિલકતમાંથી હકાલપટ્ટી કરવાના 2 કાયદાઓ છે. એક Registered Will -- મિલકતના વારસા માટે સ્પષ્ટ વ્યવસ્થા. કોને શું આપવું જોઈએ અને કોને શું ન આપવું જોઈએ તે સ્પષ્ટપણે લખેલું હોવું જોઈએ. બીજો એ છે કે, Public Disown Notice - માતાપિતા સ્થાનિક અખબારમાં નોટિસ પ્રકાશિત કરી શકે છે કે, "અમે અમારા દીકરા/દીકરીને અમારા ઘર અને મિલકતમાંથી કાઢી મૂકીએ છીએ. તેમનો અમારી મિલકત સાથે કોઈ સંબંધ રહેશે નહીં. આ નોટિસ રેકોર્ડ માટે પુરાવા બને છે પરંતુ તે ફક્ત સ્વ-ખરીદી કરેલી મિલકત માટે જ માન્ય છે. પૂર્વજોની મિલકતમાં દીકરીને તેનો હિસ્સો આપવો પડશે.

મહત્વપૂર્ણ કાનૂની વિભાગો: Section 30-Hindu Succession Act, 1956 મુજબ કોઈપણ હિન્દુ પોતાની મિલકત વસિયતનામા દ્વારા વહેંચી શકે છે. Section 18-Hindu Adoptions and Maintenance Act, 1956 મુજબ જો બાળક શિસ્તભંગ ન કરે અથવા માતાપિતાની ઇચ્છા વિરુદ્ધ જાય તો માતાપિતા તેને ભરણપોષણ આપવાનો ઇનકાર કરી શકે છે. Article 300A Indian Constitution મુજબ જો કોઈ વ્યક્તિ પોતાની મિલકતનો પોતાની ઈચ્છા મુજબ વ્યવહાર કરી શકે છે જો તે કાયદા મુજબ હોય તો.

Landmark Judgments: Saraswathi Ammal vs Rajagopal Ammal (1954) કેસમાં સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હતું કે વ્યક્તિ પોતે કમાયેલી મિલકત પર સંપૂર્ણ અધિકાર ધરાવે છે પછી ભલે તે તે કોઈને આપે કે ન આપે. K.K. Modi vs K.N. Modi & Ors (1998) કેસમાં કોર્ટે કહ્યું: વ્યક્તિની સ્વ-કમાણી કરેલી મિલકત પર ઇચ્છા સર્વોપરી છે. પુત્ર ફક્ત વારસદાર છે, માલિક નથી. Narendra Subbarao vs State of Karnataka (2011 – Karnataka HC) કેસમાં કોર્ટે ઠરાવ્યું કે, પિતાની સ્વ-અર્જિત મિલકતમાં બળજબરીથી કોઈ હિસ્સો આપી શકાય નહીં. Delhi High Court – 2021 Judgmentમાં કહ્યું કે, જો દીકરો માતાપિતા સાથે ખરાબ વર્તન કરે છે અથવા તેમની ઇચ્છા વિરુદ્ધ લગ્ન કરે છે અને અલગ રહે છે, તો માતાપિતા તેને તેમની મિલકતમાંથી કાઢી મૂકી શકે છે.

નિષ્કર્ષ: આ બધા ઉપરથી એક તારણ કાઢી શકાય કે, પિતાએ પોતાની કમાયેલી સંપત્તિમાંથી તે પુત્ર કે પુત્રીને હકાલપટ્ટી કરી શકે છે. જેમાં વસિયત અને હકાલપટ્ટી નોટિસમાં આવું હોવું જોઈએ. પૂર્વજોની સંપત્તિમાંથી તો પુત્ર અને પુત્રીઓનો હક લાગી શકે છે. કાનૂની માન્યતા એવી છે કે, વસિયતનામાની નોંધણી કરાવો અથવા Public Notice એટલે કે ન્યૂઝ પેપરમાં નોટિસ રેકોર્ડ આપવી પડશે. (All Image Symbolic) (Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)
Published On - 12:30 pm, Sat, 12 April 25