
મુખ્ય તફાવત શું છે?: સેપરેશનમાં કાયદેસર સંબંધ ચાલુ રહે છે અને બીજા લગ્ન કરી શકે નહીં. તેમજ મળવા માટેનો ચોક્કસ સમય નક્કી કરી શકે. ડિવોર્સના કેસમાં કાયદેસર સંબંધ સમાપ્ત થાય છે તેમજ ફરીથી લગ્ન કરી શકે છે અને મળવાના નિયમો પર પુર્ણવિરામ લાગે છે.

શા માટે લોકો સેપરેશન પસંદ કરે છે?: સંબંધ સુધારવાની તક રહે છે. બાળકોની લાગણીને ધ્યાનમાં રાખી સમય લેવામાં આવે છે. પરિવારમાં શાંતિ જાળવી શકાય છે.

ડિવોર્સ ક્યારે યોગ્ય ગણાય?: જ્યારે સંબંધમાં સુધારાની શક્યતા ન હોય. વારંવાર ગુનાહિત કે માનસિક હિંસા થઈ રહી હોય. કાયદેસર રીતે અલગ થવા પર બંને પક્ષો તૈયાર હોય.

જ્યારે લગ્નજીવનમાં તણાવ આવે ત્યારે સેપરેશન અથવા ડિવોર્સ બે વિકલ્પ છે. જો સંબંધમાં સુધારાની શક્યતા હોય તો સેપરેશન વધુ યોગ્ય માર્ગ હોઈ શકે છે, પરંતુ જ્યારે સંબંધ પૂરી રીતે તૂટી જાય ત્યારે ડિવોર્સ એ અંતિમ ઉકેલ બની શકે છે. સંબંધોમાં સ્પષ્ટતા અને કાયદેસર પગલાં લેવા માટે નિષ્ણાતની કાયદાકીય સલાહ લેવી સૌથી સારી રીત છે.