કાનુની સવાલ: કલમ 494 શું છે? જેના લીધે તેજ પ્રતાપ યાદવ તેની કથિત GF અનુષ્કા સાથે લગ્ન નથી કરી શકતો

Tej Pratap Yadav Girlfriend Anushka Yadav: તેજ પ્રતાપ યાદવે સોશિયલ મીડિયા પર પોતાની ગર્લફ્રેન્ડ અનુષ્કા યાદવ સાથેના 12 વર્ષના સંબંધનો ખુલાસો કર્યો હતો, પરંતુ IPC કલમ 494ના કારણે તે લગ્ન કરી શકતો નથી. પોસ્ટ ડિલીટ કર્યા પછી, તેણે ફરીથી પોસ્ટ કરી છે.

| Updated on: May 26, 2025 | 1:12 PM
4 / 7
તેજ પ્રતાપનો વૈવાહિક દરજ્જો શું છે?: તેજ પ્રતાપ યાદવના લગ્ન 2018 માં બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દરોગા રાયની પૌત્રી અને સિનિયર નેતા ચંદ્રિકા રાયની પુત્રી ઐશ્વર્યા રાય સાથે થયા હતા, પરંતુ આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. લગ્નના થોડા મહિના પછી જ બંને વચ્ચે મતભેદના સમાચાર આવવા લાગ્યા અને તેજ પ્રતાપે વર્ષ 2018માં જ કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી. જો કે વર્ષ 2025 સુધી આ છૂટાછેડાની પ્રક્રિયા હજુ પૂર્ણ થઈ નથી. જેનો અર્થ એ થયો કે કાયદેસર રીતે તેજ પ્રતાપ હજુ પણ પરિણીત છે.

તેજ પ્રતાપનો વૈવાહિક દરજ્જો શું છે?: તેજ પ્રતાપ યાદવના લગ્ન 2018 માં બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દરોગા રાયની પૌત્રી અને સિનિયર નેતા ચંદ્રિકા રાયની પુત્રી ઐશ્વર્યા રાય સાથે થયા હતા, પરંતુ આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. લગ્નના થોડા મહિના પછી જ બંને વચ્ચે મતભેદના સમાચાર આવવા લાગ્યા અને તેજ પ્રતાપે વર્ષ 2018માં જ કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી. જો કે વર્ષ 2025 સુધી આ છૂટાછેડાની પ્રક્રિયા હજુ પૂર્ણ થઈ નથી. જેનો અર્થ એ થયો કે કાયદેસર રીતે તેજ પ્રતાપ હજુ પણ પરિણીત છે.

5 / 7
IPC ની કલમ 494 શું છે?: આઈપીસીની આ કલમ હેઠળ જો કોઈ વ્યક્તિ તેના પહેલા લગ્ન અકબંધ હોવા છતાં બીજા લગ્ન કરે છે, તો તેને દ્વિપત્નીત્વ કહેવામાં આવે છે, જે એક ગંભીર ફોજદારી ગુનો છે.

IPC ની કલમ 494 શું છે?: આઈપીસીની આ કલમ હેઠળ જો કોઈ વ્યક્તિ તેના પહેલા લગ્ન અકબંધ હોવા છતાં બીજા લગ્ન કરે છે, તો તેને દ્વિપત્નીત્વ કહેવામાં આવે છે, જે એક ગંભીર ફોજદારી ગુનો છે.

6 / 7
કલમ 494 શું કહે છે?: જે કોઈ વ્યક્તિ જીવનસાથી સાથે જીવતા બીજા લગ્ન કરે છે. તેને સાત વર્ષ સુધીની કેદ અને દંડની સજા થઈ શકે છે. એનો અર્થ એ થયો કે જો તેજ પ્રતાપ ઐશ્વર્યા રાય સાથેના છૂટાછેડા પહેલાં અનુષ્કા યાદવ સાથે લગ્ન કરે છે, તો આ કલમ તેમની સામે લાગુ થઈ શકે છે.

કલમ 494 શું કહે છે?: જે કોઈ વ્યક્તિ જીવનસાથી સાથે જીવતા બીજા લગ્ન કરે છે. તેને સાત વર્ષ સુધીની કેદ અને દંડની સજા થઈ શકે છે. એનો અર્થ એ થયો કે જો તેજ પ્રતાપ ઐશ્વર્યા રાય સાથેના છૂટાછેડા પહેલાં અનુષ્કા યાદવ સાથે લગ્ન કરે છે, તો આ કલમ તેમની સામે લાગુ થઈ શકે છે.

7 / 7
હિન્દુ લગ્ન અધિનિયમ 1955 શું કહે છે: હિન્દુ લગ્ન અધિનિયમ જણાવે છે કે લગ્ન સમયે બંને પક્ષો અપરિણીત અથવા છૂટાછેડા લીધેલા હોવા જોઈએ. આનો સ્પષ્ટ અર્થ એ થયો કે જ્યાં સુધી તેજ પ્રતાપના છૂટાછેડા કોર્ટ દ્વારા અંતિમ સ્વરૂપ ન મળે ત્યાં સુધી તે બીજા કોઈ સાથે લગ્ન કરી શકશે નહીં. (Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)

હિન્દુ લગ્ન અધિનિયમ 1955 શું કહે છે: હિન્દુ લગ્ન અધિનિયમ જણાવે છે કે લગ્ન સમયે બંને પક્ષો અપરિણીત અથવા છૂટાછેડા લીધેલા હોવા જોઈએ. આનો સ્પષ્ટ અર્થ એ થયો કે જ્યાં સુધી તેજ પ્રતાપના છૂટાછેડા કોર્ટ દ્વારા અંતિમ સ્વરૂપ ન મળે ત્યાં સુધી તે બીજા કોઈ સાથે લગ્ન કરી શકશે નહીં. (Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic)