
કેરવા લગ્ન એટલે કે,નાનો ભાઈ મોટા ભાઈની વિધવા પત્ની સાથે લગ્ન કરે છે. આ પરંપરા ઉત્તર ભારતમાં વધારે જોવા મળે છે.તેનો હેતુ પરિવારને એક રાખવાનો, વિધવાને સામાજિક અને આર્થિક સુરક્ષા પૂરી પાડવાનો અને પરિવારની મિલકતને વિખેરાઈ કેરવા લગ્ન એટલે કે,નાનો ભાઈ મોટા ભાઈની વિધવા પત્ની સાથે લગ્ન કરે છે

કેરવા લગ્ન એટલે કે,નાનો ભાઈ મોટા ભાઈની વિધવા પત્ની સાથે લગ્ન કરે છે. આ પરંપરા ઉત્તર ભારતમાં વધારે જોવા મળે છે.તેનો હેતુ પરિવારને એક રાખવાનો, વિધવાને સામાજિક અને આર્થિક સુરક્ષા પૂરી પાડવાનો અને પરિવારની મિલકતને વિખેરાઈ જવાથી અટકાવવાનો છે.

કરેવા લગ્નોથી જન્મેલા બાળકોને ઘણીવાર મિલકતના અધિકારો, સામાજિક ઓળખ અને કાનૂની માન્યતામાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શું તેઓ હિન્દુ ઉત્તરાધિકાર કાયદાનું પાલન કરે છે?આ સવાલ કોર્ટની સામે છે અને આનો જવાબ માત્ર પરિવાર નહી પરંતુ આખા સમાજને પ્રભાવિત કરશે.

કરેવા લગ્નની ખાસિયત એ છે કે તે ન તો સંપૂર્ણપણે સામાન્ય લગ્ન જેવું છે અને ન તો તે આધુનિક કાયદાના દાયરામાં સંપૂર્ણપણે બંધબેસતું છે. આ એક એવો રિવાજ છે જે સમુદાયની માન્યતાઓ પર આધારિત છે, પરંતુ તે તેના બાળકોના અધિકારો અંગે કાનૂની ગૂંચવણો ઉભી કરે છે.

કરેવા લગ્નથી જન્મેલા બાળકોના અધિકારોનો પ્રશ્ન સૌથી જટિલ છે. હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ,1956 હેઠળ, વૈદ્ય લગ્નથી જન્મેલા બાળકો તેમના માતાપિતાના વારસદાર બનવાના હકદાર છે.પરંતુ કેરવા લગ્ન જે કાનુની રીતે નોંઘાયેલ નથી તે બાળકો માટે સમસ્યાઓ ઊભી કરી શકે છે.

હિન્દુ લગ્ન અધિનિયમની કલમ 16 જણાવે છે કે જો લગ્ન માન્ય અથવા રદ્દ કરવા યોગ્ય હોય, તો તેમાંથી જન્મેલા બાળકો કાયદેસર રહેશે. પણ કરેવા લગ્ન, જે સંપૂર્ણપણે પ્રથાગત છે. આ કાયદાનો વ્યાપ હજુ પણ અસ્પષ્ટ છે.

Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે.(All Image Symbolic)