કાનુની સવાલ : કોર્ટ મેરેજ પર ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય, નોંધણી ફક્ત એક રેકોર્ડ છે, હિન્દુ લગ્નમાં 7 ફેરા જરૂરી

ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે, હિન્દુ લગ્ન માન્ય ગણવા માટે સાત ફેરા જેવી પરંપરાગત વિધિઓ ફરજિયાત છે. માત્ર લગ્નના સર્ટિફિકેટથી હિન્દુ લગ્ન માન્ય નહી થાય. હાઈકોર્ટે ફેમિલી કોર્ટના આ નિર્ણયને રદ કર્યો છે. જેમાં રજિસ્ટ્રેશનના આધાર પર લગ્નને માન્ય રાખવામાં આવ્યો હતો.

| Updated on: Jul 01, 2026 | 9:08 AM
1 / 7
ગુજરાત હાઈકોર્ટે કોર્ટે મેરેજ સાથે જોડાયેલા એક મોટો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું કે,જો હિન્દુ લગ્નમાં સાત ફેરા જેવી પરંપરાગત વિધિઓ કરવામાં આવી નથી. તો માત્ર રજિસ્ટ્રેશનના આધાર પર તેને માન્ય ગણવામાં આવતા નથી.

ગુજરાત હાઈકોર્ટે કોર્ટે મેરેજ સાથે જોડાયેલા એક મોટો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું કે,જો હિન્દુ લગ્નમાં સાત ફેરા જેવી પરંપરાગત વિધિઓ કરવામાં આવી નથી. તો માત્ર રજિસ્ટ્રેશનના આધાર પર તેને માન્ય ગણવામાં આવતા નથી.

2 / 7
હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું હતું કે, પરંપરાગત હિન્દુ લગ્ન વિધિઓ વ્યક્તિના આધ્યાત્મિક જીવનને શુદ્ધ કરે છે અને પરિવર્તિત કરે છે. આ વિધિઓ આવશ્યક છે.

હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું હતું કે, પરંપરાગત હિન્દુ લગ્ન વિધિઓ વ્યક્તિના આધ્યાત્મિક જીવનને શુદ્ધ કરે છે અને પરિવર્તિત કરે છે. આ વિધિઓ આવશ્યક છે.

3 / 7
આ નિર્ણયમાં ગત્ત નવેમ્બર મહિનામાં ફેમિલી કોર્ટના એક આદેશને રદ કરતી વખતે સામે આવ્યો છે. ફેમિલી કોર્ટે બ્રિટેનમાં રહેનાર કૌશલ સોનારની અપીલને રદ કરી હતી. તેમણે પોતાના કથિત લગ્નને અમાન્ય જાહેર કરવાની માંગ કરી હતી. જસ્ટિસ ઈલેશ વોરા અને જસ્ટિશ આર.ટી.વાછાણીની બેન્ચે સ્પષ્ટ કહ્યું કે, સાત ફેરા જેવી પરંપરાગત વિધિઓ હિન્દુ લગ્નનો મુળ આધાર છે.

આ નિર્ણયમાં ગત્ત નવેમ્બર મહિનામાં ફેમિલી કોર્ટના એક આદેશને રદ કરતી વખતે સામે આવ્યો છે. ફેમિલી કોર્ટે બ્રિટેનમાં રહેનાર કૌશલ સોનારની અપીલને રદ કરી હતી. તેમણે પોતાના કથિત લગ્નને અમાન્ય જાહેર કરવાની માંગ કરી હતી. જસ્ટિસ ઈલેશ વોરા અને જસ્ટિશ આર.ટી.વાછાણીની બેન્ચે સ્પષ્ટ કહ્યું કે, સાત ફેરા જેવી પરંપરાગત વિધિઓ હિન્દુ લગ્નનો મુળ આધાર છે.

4 / 7
કોર્ટે કહ્યું કે, કોઈ પણ રજિસ્ટ્રેશન વગર લગ્ન માન્ય ગણાતા નથી. કૌશલ સોનારે કોર્ટને જણાવ્યું કે,આ કથિત લગ્ન વિશે ત્યારે ખબર પડી. જ્યારે આરોપીએ તેના માતાપિતાનો સંપર્ક કર્યો અને તેણે તેની પત્ની હોવાનો દાવો કરતું લગ્ન પ્રમાણપત્ર રજૂ કર્યું, ત્યારે સોનારે કહ્યું કે, તેણે ક્યારેય તેની સાથે લગ્ન કર્યા નથી, કોઈ હિન્દુ વિધિઓ કરી નથી, કે તેની સાથે પતિ-પત્ની તરીકે રહ્યા નથી.

કોર્ટે કહ્યું કે, કોઈ પણ રજિસ્ટ્રેશન વગર લગ્ન માન્ય ગણાતા નથી. કૌશલ સોનારે કોર્ટને જણાવ્યું કે,આ કથિત લગ્ન વિશે ત્યારે ખબર પડી. જ્યારે આરોપીએ તેના માતાપિતાનો સંપર્ક કર્યો અને તેણે તેની પત્ની હોવાનો દાવો કરતું લગ્ન પ્રમાણપત્ર રજૂ કર્યું, ત્યારે સોનારે કહ્યું કે, તેણે ક્યારેય તેની સાથે લગ્ન કર્યા નથી, કોઈ હિન્દુ વિધિઓ કરી નથી, કે તેની સાથે પતિ-પત્ની તરીકે રહ્યા નથી.

5 / 7
હાઈકોર્ટે જોયું કે, મહિલાએ ફેમિલી કોર્ટમાં સ્પષ્ટપણે સ્વીકાર્યું હતું કે તેમની વચ્ચે કોઈ ધાર્મિક વિધિઓ કે સમારંભો થયા નથી અને તેમના ક્યારેય લગ્ન થયા નથી. આમ છતાં, ફેમિલી કોર્ટે કૌશલ સોનારની અરજી ફગાવી દીધી, જે ખોટી હતી. કોર્ટે હિન્દુ લગ્ન કાયદાની કલમ 7નો ઉલ્લેખ કર્યો.

હાઈકોર્ટે જોયું કે, મહિલાએ ફેમિલી કોર્ટમાં સ્પષ્ટપણે સ્વીકાર્યું હતું કે તેમની વચ્ચે કોઈ ધાર્મિક વિધિઓ કે સમારંભો થયા નથી અને તેમના ક્યારેય લગ્ન થયા નથી. આમ છતાં, ફેમિલી કોર્ટે કૌશલ સોનારની અરજી ફગાવી દીધી, જે ખોટી હતી. કોર્ટે હિન્દુ લગ્ન કાયદાની કલમ 7નો ઉલ્લેખ કર્યો.

6 / 7
જેમાં કહેવામાં આવ્યું કે, હિન્દુ લગ્નને પુરા અને કાયદેસર  બનાવવા માટે પારંપારિક વિધિ અને સમારોહ જરુરી છે. કોર્ટે કહ્યું કે, આ મામલે કોઈ પણ વિધિ કે, સમારોહ આયોજિત કરવામાં આવ્યો ન હતો. તેથી, હિન્દુ લગ્નની મૂળભૂત આવશ્યકતાઓ પૂર્ણ કરવામાં આવી ન હતી. તેથી, લગ્ન માન્ય નથી.

જેમાં કહેવામાં આવ્યું કે, હિન્દુ લગ્નને પુરા અને કાયદેસર બનાવવા માટે પારંપારિક વિધિ અને સમારોહ જરુરી છે. કોર્ટે કહ્યું કે, આ મામલે કોઈ પણ વિધિ કે, સમારોહ આયોજિત કરવામાં આવ્યો ન હતો. તેથી, હિન્દુ લગ્નની મૂળભૂત આવશ્યકતાઓ પૂર્ણ કરવામાં આવી ન હતી. તેથી, લગ્ન માન્ય નથી.

7 / 7
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )

Follow Us