અમદાવાદની જગન્નાથ યાત્રા પુરીની રથયાત્રાથી અલગ કેમ છે? જાણો તેનાથી સંબંધિત તથ્યો

જગન્નાથ રથયાત્રાનું આયોજન અષાઢ મહિનાના શુક્લ પક્ષના બીજા દિવસે એટલે કે 27 જૂન 2025 ના રોજ કરવામાં આવી રહી છે. આ ભવ્ય ઉત્સવ મુખ્યત્વે ઓડિશાના પુરી અને ગુજરાતના અમદાવાદમાં ઉજવવામાં આવે છે પરંતુ બંનેના કાર્યક્રમોમાં કેટલાક મહત્વપૂર્ણ તફાવતો છે. ચાલો આ લેખમાં વિગતવાર જાણીએ.

| Updated on: Jun 27, 2025 | 10:19 AM
4 / 7
15 દિવસના અનાસર પછી ભગવાન સ્વસ્થ થાય ત્યારે 'નૈનાસર ઉત્સવ' ઉજવવામાં આવે છે, ત્યારબાદ રથયાત્રા કાઢવામાં આવે છે. ત્યારબાદ ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રા ત્રણ અલગ અલગ રથ પર સવારી કરીને નગર ભ્રમણ કરે છે. આ સમય દરમિયાન તેઓ તેમના મામાના ઘર સરસપુરની પણ મુલાકાત લે છે. રથયાત્રાની ખાસ વાત એ છે કે આ યાત્રા દરમિયાન, હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકો સાથે મળીને ભગવાનનું સ્વાગત કરે છે.

15 દિવસના અનાસર પછી ભગવાન સ્વસ્થ થાય ત્યારે 'નૈનાસર ઉત્સવ' ઉજવવામાં આવે છે, ત્યારબાદ રથયાત્રા કાઢવામાં આવે છે. ત્યારબાદ ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રા ત્રણ અલગ અલગ રથ પર સવારી કરીને નગર ભ્રમણ કરે છે. આ સમય દરમિયાન તેઓ તેમના મામાના ઘર સરસપુરની પણ મુલાકાત લે છે. રથયાત્રાની ખાસ વાત એ છે કે આ યાત્રા દરમિયાન, હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકો સાથે મળીને ભગવાનનું સ્વાગત કરે છે.

5 / 7
જગન્નાથ પુરીની રથયાત્રા કેમ અલગ છે?: આ યાત્રા એકમાત્ર એવી છે જ્યાં ભગવાન જગન્નાથ, તેમના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા, તેમના ભવ્ય રથ પર સવારી કરીને મંદિરની બહાર નીકળીને શહેરની ભ્રમણ કરે છે. તે ભક્તોને તેમની મૂર્તિની નજીક આવવા અને તેમના દર્શન કરવાનો દુર્લભ અવસર આપે છે. ભગવાનના મામાનું ઘર સરસપુરમાં દરેક ભક્તોને મહાપ્રસાદનો લ્હાવો મળે છે.

જગન્નાથ પુરીની રથયાત્રા કેમ અલગ છે?: આ યાત્રા એકમાત્ર એવી છે જ્યાં ભગવાન જગન્નાથ, તેમના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા, તેમના ભવ્ય રથ પર સવારી કરીને મંદિરની બહાર નીકળીને શહેરની ભ્રમણ કરે છે. તે ભક્તોને તેમની મૂર્તિની નજીક આવવા અને તેમના દર્શન કરવાનો દુર્લભ અવસર આપે છે. ભગવાનના મામાનું ઘર સરસપુરમાં દરેક ભક્તોને મહાપ્રસાદનો લ્હાવો મળે છે.

6 / 7
એવું કહેવાય છે કે રથયાત્રામાં ભાગ લેનાર ભક્ત વૈકુંઠ ધામમાં પહોંચે છે. દર વર્ષે રથયાત્રા માટે ત્રણ વિશાળ, લાકડાના રથ બનાવવામાં આવે છે. આ રથ બનાવવામાં કોઈ ખીલા કે ધાતુનો ઉપયોગ થતો નથી, પરંતુ ફક્ત લીમડાના લાકડાનો ઉપયોગ થાય છે. ગુજરાતના મુખ્યમંત્રી પોતે સોનાના સાવરણીથી રથ અને રથયાત્રાના માર્ગને સાફ કરે છે. આ વિધિ દર્શાવે છે કે ભગવાન સમક્ષ કોઈ નાનું કે મોટું નથી બધા સમાન છે.

એવું કહેવાય છે કે રથયાત્રામાં ભાગ લેનાર ભક્ત વૈકુંઠ ધામમાં પહોંચે છે. દર વર્ષે રથયાત્રા માટે ત્રણ વિશાળ, લાકડાના રથ બનાવવામાં આવે છે. આ રથ બનાવવામાં કોઈ ખીલા કે ધાતુનો ઉપયોગ થતો નથી, પરંતુ ફક્ત લીમડાના લાકડાનો ઉપયોગ થાય છે. ગુજરાતના મુખ્યમંત્રી પોતે સોનાના સાવરણીથી રથ અને રથયાત્રાના માર્ગને સાફ કરે છે. આ વિધિ દર્શાવે છે કે ભગવાન સમક્ષ કોઈ નાનું કે મોટું નથી બધા સમાન છે.

7 / 7
આ રથયાત્રા દરમિયાન અખાડાના લોકો અવનવા કરતબ બતાવે છે. સત્સંગ મંડળની બહેનો ભજન-કીર્તન સાથે આ યાત્રામાં જોડાય છે. અનેક પ્રકારના ટેબ્લો પણ જોવા મળે છે. યુવાનોમાં તલવારની કરતબ, સાંકળોની કરતબ ખાસ જોવા મળે છે. લોકોનો આ બધું જોવામાં પણ ખાસ રસ જોવા મળે છે.

આ રથયાત્રા દરમિયાન અખાડાના લોકો અવનવા કરતબ બતાવે છે. સત્સંગ મંડળની બહેનો ભજન-કીર્તન સાથે આ યાત્રામાં જોડાય છે. અનેક પ્રકારના ટેબ્લો પણ જોવા મળે છે. યુવાનોમાં તલવારની કરતબ, સાંકળોની કરતબ ખાસ જોવા મળે છે. લોકોનો આ બધું જોવામાં પણ ખાસ રસ જોવા મળે છે.

Published On - 8:32 am, Fri, 27 June 25