
પરંતુ નિષ્ણાતો માને છે કે આવી સ્થિતિમાં યોગ કરવામાં કોઈ વાંધો નથી, બલ્કે યોગમાં એવા ઘણા આસનોનો ઉલ્લેખ છે, જે પીરિયડ્સ દરમિયાન થતા દુખાવા, ખેંચાણ અને તણાવથી રાહત આપે છે, સારી ઊંઘ લાવે છે અને હોર્મોન્સ સંતુલિત રાખે છે.

તેઓ માને છે કે માસિક સ્રાવ દરમિયાન કસરતને બદલે હળવા યોગા કરવાથી વધુ ફાયદો થાય છે. યોગ કરવાથી તમને માસિક ધર્મ દરમિયાન માત્ર શારીરિક લાભ જ નહીં મળે પણ માનસિક તણાવ પણ ઓછો થઈ શકે છે.

ઘણી સ્ત્રીઓને માસિક ધર્મ દરમિયાન પેટમાં તીવ્ર દુખાવો થાય છે અને કેટલીક સ્ત્રીઓને પિરિયડ સમયસર આવતા નથી, તે સમસ્યાઓનો ઉકેલ યોગ દ્વારા પણ મળી શકે છે. (Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે. યોગ કરવા માટે પહેલા શરીર ફ્લેક્સિબલ હોવું જરુરી છે તેમજ કોઈ નિષ્ણાંતની સલાહ લઈને યોગ કરી શકાય.)