
KKR સામેની જીત બાદ RCB માટે પ્લેઓફમાં પહોંચવાનો રસ્તો લગભગ હવે સાફ દેખાઈ રહ્યો છે. RCBને હજી પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે બે મેચ રમવાની બાકી છે. જો તેમાંથી એક મેચ પણ જીતી લે તો તેનું પ્લેઓફ સ્થાન લગભગ પાક્કું થઈ જશે.

RCB સામેની હાર બાદ KKR માટે પ્લેઓફમાં પહોંચવું લગભગ અશક્ય લાગી રહ્યું છે. KKRએ અત્યાર સુધી 11 મેચમાં માત્ર 9 પોઈન્ટ્સ મેળવ્યા છે અને તે પોઈન્ટ્સ ટેબલમાં 8માં સ્થાને છે. KKRને હવે ગુજરાત ટાઇટન્સ, મુંબઈ અને દિલ્હી સામે ત્રણ મેચ રમવાની છે. જો તે ત્રણેય મેચ જીતી લે તો પણ તેની પાસે માત્ર 15 પોઈન્ટ્સ થશે, જે પ્લેઓફ માટે પૂરતા નહીં બને.

RCBની જીત બાદ ગુજરાત ટાઇટન્સ ટોચ પરથી બીજા સ્થાને આવી ગઈ છે. પરંતુ ગુજરાત ટાઇટન્સનું પ્લેઓફમાં પહોંચવું લગભગ નિશ્ચિત છે. GT પાસે હાલમાં 16 પોઈન્ટ્સ છે અને તેને હજુ KKR અને CSK સામે બે મેચ રમવાની બાકી છે. જો ગુજરાત ટાઇટન્સ આ બેમાંથી એક મેચ પણ જીતી જાય તો તેનું પ્લેઓફ ટિકિટ કન્ફર્મ થઈ શકે છે.

12 મેના રોજ ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવી નંબર-1નું સ્થાન મેળવ્યું હતું અને RCBને પાછળ ધકેલ્યું હતું. પરંતુ માત્ર 24 કલાક બાદ RCBએ KKRને હરાવી ફરી ટોચનું સ્થાન પોતાના નામે કરી લીધું છે.

CSK અને RR પણ પ્લેઓફની રેસમાં ટકી રહી છે. બંને ટીમોના 11 મેચમાં 12-12 પોઈન્ટ્સ છે. પરંતુ નેટ રન રેટના આધારે CSK પાંચમા અને RR છઠ્ઠો સ્થાન ધરાવે છે.