Indian Railway Announces Special Train Service : દાદરથી નંદુરબાર જવા માટે વેસ્ટર્ન રેલવેએ નવી સ્પેશિયલ ટ્રેન ચાલુ કરી છે. આ ટ્રેન વાયા બારડોલી, વાપી-વલસાડથી નંદુરબાર પહોંચાડશે.
30 જૂન (રવિવાર) ના રોજ, એક રેલવે અધિકારીએ આ માહિતીની પુષ્ટિ કરી હતી. રેલવેનું કહેવું છે કે પશ્ચિમ રેલવે દ્વારા દાદર અને નંદુરબાર વચ્ચે મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Dadar-Nandurbar special train timings : રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર દાદર અને નંદુરબાર વચ્ચે દોડતી સ્પેશિયલ ટ્રેન દર શુક્રવારે રાત્રે 12.15 વાગ્યે ઉપડશે અને સવારે 8.35 વાગ્યે નંદુરબાર પહોંચશે. આ ટ્રેન નંદુરબારથી પાછા ફરતી વખતે એટલે કે રિટર્ન મુસાફરી દરમિયાન આ ટ્રેન નંદુરબારથી દર શુક્રવારે રાત્રે 8:55 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે સવારે 5:15 વાગ્યે દાદર પહોંચશે.
Dadar-Nandurbar special train route and stations : દાદર અને નંદુરબાર વચ્ચે બંને દિશામાં દોડતી આ ટ્રેન કેટલાક મોટા સ્ટેશનો જેમ કે બોરીવલી, વિરાર, પાલઘર, વાપી, વલસાડ, નવસારી, ભેસ્તાન, ચલથાણ, બારડોલી, વ્યારા અને નવાપુર સ્ટેશનો પર સ્ટોપેજ લેશે, જેથી રેલવે મુસાફરોને વધુ સારી કનેક્ટિવિટી મળી રહે.
(Disclaimer : આ માહિતી ન્યૂઝ લખાય છે ત્યાં સુધીના ટાઈમ-ટેબલ અપડેટના આધારે છે. ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા એકવાર ઓફિશિયલી સાઈટ પર શેડ્યુલ ચેક કરીને નીકળવું.)