
પ્રખ્યાત ટીવી અભિનેતા ગુરમીત ચૌધરી એક મોટું નામ છે. પરંતુ તેમની સફર સરળ નહોતી. આજે અમે તમને ગુરમીતની શૂન્યથી હીરો બનવાની સ્ટોરી જણાવીશું. તેમજ ગુરમીત ચૌધરીના પરિવાર વિશે જાણીશું.

ગુરમીત ચૌધરીનો જન્મ 22 ફેબ્રુઆરી 1984ના રોજ થયો છે. તે એક ભારતીય અભિનેતા અને માર્શલ આર્ટિસ્ટ છે અને તેનો જન્મ ભાગલપુર, બિહારમાં થયો હતો.

ગુરમીત ચૌધરીનો પરિવાર જુઓ

2012માં ગુરમીત ચૌધરીએ ઝલક દિખલા જા 5 માં ભાગ લીધો અને વિજેતા થયો હતો. તેણે નચ બલિયે 6 અને ફિયર ફેક્ટરઃ ખતરોં કે ખિલાડી 5 માં પણ ભાગ લીધો હતો અને બંનેમાં તે પ્રથમ રનર-અપ તરીકે ઉભરી આવ્યો હતો.

તેણે ફોક્સ સ્ટુડિયોની સાયકોલોજિકલ થ્રિલર અને હોરર ખામોશિયાં સાથે તેની ફિલ્મની શરૂઆત કરી હતી. ગુરમીત ચૌધરી ફાઉન્ડેશને તેમના વતન ખાતે કોવિડ પછીનું વિશેષ સંભાળ કેન્દ્ર શરૂ કર્યું.તેમના મોટા ભાઈ તેમના વતન ખાતે જનરલ ફિઝિશિયન છે.

15 ફેબ્રુઆરી 2011ના રોજ ગુરમીત ચૌધરીએ અભિનેત્રી દેબીના બોનરજી સાથે લગ્ન કર્યા.3 એપ્રિલ 2022ના રોજ તેમને તેમના પહેલા બાળક એક છોકરીનું સ્વાગત કર્યું હતુ.11 નવેમ્બર 2022ના રોજ, તેમને તેમના બીજા બાળક બીજી છોકરીનો જન્મ થયો.

ગુરમીતના પિતા સીતારામ ચૌધરી નિવૃત્ત આર્મી સુબેદાર મેજર છે, અને તેમની માતા અનમોલ, ગૃહિણી છે. તેમના મોટા ભાઈ, ગંગારામ ચૌધરી, ડૉક્ટર છે. ગુરમીત ચૌધરીની નેટવર્થ અંદાજે 30 થી 45 કરોડ રુપિયા છે.

ગુરમીતે ટીવી સીરિયલ "રામાયણ" માં રામની ભૂમિકા ભજવીને લોકપ્રિયતા મેળવી હતી. "ગીત હુઈ સબસે પરાયી" અને "પુનરવિવાહ" જેવી અનેક ટીવી સીરિયલોમાં કામ કરી ચૂકેલા ગુરમીતે મહેશ ભટ્ટની ફિલ્મ "ખામોશિયાં" થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.

ગુરમીત અને તેની પત્ની દેબીના બોનરજી ટેલિવિઝનના આઈડલ કપલમાંથી એક છે. તેમણે "રામાયણ" સીરિયલમાં સાથે કામ કર્યું હતું.ટેલિવિઝન પર પોતાની ઓળખ બનાવતા પહેલા, ગુરમીતે મોડેલિંગમાં પણ પોતાનો હાથ અજમાવ્યો. મિસ્ટર જબલપુરનો ખિતાબ પણ જીત્યો.

ગુરમીતના મતે, મનોરંજન ઉદ્યોગમાં પોતાને સ્થાપિત કરવા માટે તેણે લગભગ પાંચ વર્ષ સંઘર્ષ કર્યો.

આજે, ગુરમીત તેની પત્ની દેબીના બેનર્જી અને તેમની બે પુત્રીઓ સાથે લક્ઝરી જીવન જીવે છે.

આ કપલ મુંબઈના અંધેરી પશ્ચિમમાં રહે છે. તેમના ઘરની કિંમત આશરે 16 કરોડ છે.

ગુરમીત અને દેબીના તેમના સ્વપ્નનું ફાર્મહાઉસ પણ બનાવી રહ્યા છે. તેઓ વારંવાર તેમના યુટ્યુબ વ્લોગ દ્વારા ચાહકો સાથે ફાર્મહાઉસના અપડેટ્સ અને ઝલક શેર કરે છે.

તમને જણાવી દઈએ કે, ગુરમીત ચૌધરીએ દેબીના બેનર્જી સાથે બે વાર લગ્ન કર્યા, પહેલા 2009 માં અને પછી 2011માં.
Published On - 7:17 am, Mon, 17 August 26