
આ નિયમથી સોસાયટીઓને એ સ્વતંત્રતા મળશે કે તેઓ પોતાની પરિસ્થિતિ મુજબ આ ફીમાં ઘટાડો કરી શકે. પરંતુ કોઈપણ સંજોગોમાં તેઓ નક્કી કરેલી મર્યાદા કરતાં વધુ ફી વસૂલી શકશે નહીં. આ નિર્ણયથી હાઉસિંગ સોસાયટીઓમાં કારભાર વધુ પારદર્શક અને નિયમિત બનશે.

આ નવા નિયમ મુજબ, જો મિલકત કાયદેસર વારસદારોને અવેજ વગર ટ્રાન્સફર કરવામાં આવે, તો કોઈ પણ ટ્રાન્સફર ફી વસૂલ કરી શકાશે નહીં. તદુપરાંત, સોસાયટીઓ ડેવલપમેન્ટ ચાર્જ, દાન અથવા અન્ય કોઈ નામે કોઈ વધારાની રકમ પણ ટ્રાન્સફર સમયે લઈ શકશે નહીં.

રાજ્ય સરકારના આ નિર્ણયથી હાઉસિંગ સોસાયટીઓના કારભારમાં શિસ્ત લાવાશે અને લાખો સભાસદોને આર્થિક રાહત મળશે. આ પગલાને રાજ્યભરમાં વધાવા મળ્યો છે અને તેને સભાસદોના હિતમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
Published On - 1:44 pm, Mon, 3 March 25