Breaking News: ‘2027 વર્લ્ડ કપ’ પહેલા જ ટીમ ઈન્ડિયાના કોચનું રાજીનામું? રાજસ્થાન રોયલ્સે ગંભીરને આપી એક ‘નવી ઓફર’

ભારતીય ક્રિકેટ જગતમાં અત્યારે એક એવો સવાલ ગુંજી રહ્યો છે કે, જેણે ફેન્સની ચિંતા વધારી દીધી છે. સવાલ એ છે કે, શું ગૌતમ ગંભીર પોતાનો કાર્યકાળ પૂરો થાય તે પહેલા જ કોચ પદ છોડી દેશે?

| Updated on: Feb 17, 2026 | 2:11 PM
1 / 6
શું ટીમ ઈન્ડિયાના કોચ ગૌતમ ગંભીર પોતાનો કાર્યકાળ પૂરો થાય તે પહેલા જ રાજીનામું આપી દેશે? આ સવાલ એટલા માટે ઊઠી રહ્યો છે, કારણ કે આઈપીએલ ફ્રેન્ચાઇઝી રાજસ્થાન રોયલ્સના ભાવિ માલિકો તરફથી ગંભીરને સીઈઓ (CEO), પાર્ટનર અને મેન્ટર બનાવવાની ઓફર આપવામાં આવી છે. જો ગૌતમ ગંભીર આ ઓફર સ્વીકારે છે, તો તેણે ટીમ ઈન્ડિયાના હેડ કોચ પદ પરથી રાજીનામું આપવું પડશે.

શું ટીમ ઈન્ડિયાના કોચ ગૌતમ ગંભીર પોતાનો કાર્યકાળ પૂરો થાય તે પહેલા જ રાજીનામું આપી દેશે? આ સવાલ એટલા માટે ઊઠી રહ્યો છે, કારણ કે આઈપીએલ ફ્રેન્ચાઇઝી રાજસ્થાન રોયલ્સના ભાવિ માલિકો તરફથી ગંભીરને સીઈઓ (CEO), પાર્ટનર અને મેન્ટર બનાવવાની ઓફર આપવામાં આવી છે. જો ગૌતમ ગંભીર આ ઓફર સ્વીકારે છે, તો તેણે ટીમ ઈન્ડિયાના હેડ કોચ પદ પરથી રાજીનામું આપવું પડશે.

2 / 6
એક રિપોર્ટ મુજબ, રાજસ્થાન રોયલ્સનું નવું મેનેજમેન્ટ ગૌતમ ગંભીરને પોતાના પાર્ટનર, મેન્ટર અને સીઈઓ (CEO) બનાવવા માંગે છે. ફ્રેન્ચાઇઝીના ત્રણ નવા માલિકોમાંથી એક વ્યક્તિએ ગંભીરને આ ઓફર આપી છે. મળતી માહિતી મુજબ, રાજસ્થાન રોયલ્સના મોટાભાગના શેરધારકો પોતાની હિસ્સેદારી નવા માલિકોને વેચી રહ્યા છે. આ ડીલ અત્યારે હસ્તાંતરણ (Transfer) ના સ્ટેજમાં છે. રિપોર્ટ મુજબ, ફ્રેન્ચાઇઝીના 3 નવા માલિકોમાંથી એકે ગૌતમ ગંભીરનો સંપર્ક કર્યો છે. તેમને ફ્રેન્ચાઇઝીમાં 2-3 ટકાની હિસ્સેદારી આપવાની સાથે-સાથે સીઈઓ અને મેન્ટર બનાવવાની રજૂઆત કરવામાં આવી છે.

એક રિપોર્ટ મુજબ, રાજસ્થાન રોયલ્સનું નવું મેનેજમેન્ટ ગૌતમ ગંભીરને પોતાના પાર્ટનર, મેન્ટર અને સીઈઓ (CEO) બનાવવા માંગે છે. ફ્રેન્ચાઇઝીના ત્રણ નવા માલિકોમાંથી એક વ્યક્તિએ ગંભીરને આ ઓફર આપી છે. મળતી માહિતી મુજબ, રાજસ્થાન રોયલ્સના મોટાભાગના શેરધારકો પોતાની હિસ્સેદારી નવા માલિકોને વેચી રહ્યા છે. આ ડીલ અત્યારે હસ્તાંતરણ (Transfer) ના સ્ટેજમાં છે. રિપોર્ટ મુજબ, ફ્રેન્ચાઇઝીના 3 નવા માલિકોમાંથી એકે ગૌતમ ગંભીરનો સંપર્ક કર્યો છે. તેમને ફ્રેન્ચાઇઝીમાં 2-3 ટકાની હિસ્સેદારી આપવાની સાથે-સાથે સીઈઓ અને મેન્ટર બનાવવાની રજૂઆત કરવામાં આવી છે.

3 / 6
ધ્યાન રાખવા જેવું એ છે કે, ગૌતમ ગંભીર જ્યાં સુધી ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ છે, ત્યાં સુધી તેઓ ઈચ્છવા છતાં પણ રાજસ્થાન રોયલ્સની આ ઓફર સ્વીકારી શકતા નથી. ટૂંકમાં, આવું કરવું એ સીધેસીધું 'હિતોના સંઘર્ષ' (Conflict of Interest) નો મામલો બની જાય.

ધ્યાન રાખવા જેવું એ છે કે, ગૌતમ ગંભીર જ્યાં સુધી ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ છે, ત્યાં સુધી તેઓ ઈચ્છવા છતાં પણ રાજસ્થાન રોયલ્સની આ ઓફર સ્વીકારી શકતા નથી. ટૂંકમાં, આવું કરવું એ સીધેસીધું 'હિતોના સંઘર્ષ' (Conflict of Interest) નો મામલો બની જાય.

4 / 6
સ્વાભાવિક છે કે, જો ગૌતમ ગંભીર રાજસ્થાન રોયલ્સની આ ઓફર સ્વીકારે છે, તો તેણે પહેલા ટીમ ઈન્ડિયાના કોચ પદ પરથી રાજીનામું આપવું પડશે. ન્યૂઝ રિપોર્ટમાં ગૌતમ ગંભીર સાથે જોડાયેલા સૂત્રોના હવાલેથી કહેવામાં આવ્યું છે કે, તેઓ ટીમ ઈન્ડિયાના કોચ પદ માટે પ્રતિબદ્ધ છે. સૂત્રોએ રાજસ્થાન રોયલ્સ તરફથી મળેલી ઓફર પર કોઈ પણ ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો છે.

સ્વાભાવિક છે કે, જો ગૌતમ ગંભીર રાજસ્થાન રોયલ્સની આ ઓફર સ્વીકારે છે, તો તેણે પહેલા ટીમ ઈન્ડિયાના કોચ પદ પરથી રાજીનામું આપવું પડશે. ન્યૂઝ રિપોર્ટમાં ગૌતમ ગંભીર સાથે જોડાયેલા સૂત્રોના હવાલેથી કહેવામાં આવ્યું છે કે, તેઓ ટીમ ઈન્ડિયાના કોચ પદ માટે પ્રતિબદ્ધ છે. સૂત્રોએ રાજસ્થાન રોયલ્સ તરફથી મળેલી ઓફર પર કોઈ પણ ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો છે.

5 / 6
ટીમ ઈન્ડિયાના હેડ કોચ તરીકે ગૌતમ ગંભીરનો કાર્યકાળ વર્ષ 2027 ના વન-ડે વર્લ્ડ કપ સુધીનો છે. તેના કાર્યકાળમાં ટીમ ઈન્ડિયાનું ટેસ્ટમાં પ્રદર્શન સરેરાશ કરતા પણ નીચું રહ્યું છે. જો કે, વ્હાઇટ બોલ ક્રિકેટમાં ટીમના પ્રદર્શનમાં જબરદસ્ત સુધાર આવ્યો છે. ટેસ્ટમાં નબળા પ્રદર્શનને કારણે ઘણીવાર રેડ બોલ ક્રિકેટ માટે નવા કોચની માંગ ઉઠતી રહી છે.

ટીમ ઈન્ડિયાના હેડ કોચ તરીકે ગૌતમ ગંભીરનો કાર્યકાળ વર્ષ 2027 ના વન-ડે વર્લ્ડ કપ સુધીનો છે. તેના કાર્યકાળમાં ટીમ ઈન્ડિયાનું ટેસ્ટમાં પ્રદર્શન સરેરાશ કરતા પણ નીચું રહ્યું છે. જો કે, વ્હાઇટ બોલ ક્રિકેટમાં ટીમના પ્રદર્શનમાં જબરદસ્ત સુધાર આવ્યો છે. ટેસ્ટમાં નબળા પ્રદર્શનને કારણે ઘણીવાર રેડ બોલ ક્રિકેટ માટે નવા કોચની માંગ ઉઠતી રહી છે.

6 / 6
ગૌતમ ગંભીરે જુલાઈ 2024 માં ટીમ ઈન્ડિયાના હેડ કોચની જવાબદારી સંભાળી હતી. તેના કાર્યકાળમાં ટીમે અત્યાર સુધી 19 ટેસ્ટ મેચ રમી છે, જેમાંથી 7 માં જીત અને 10 માં હારનો સામનો કરવો પડ્યો છે. આ સમયગાળા દરમિયાન ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકાએ ભારતમાં આવીને ટીમ ઈન્ડિયાને ટેસ્ટમાં ક્લીન સ્વીપ કર્યું છે. ગંભીરના કાર્યકાળમાં ભારતે 20 વન-ડે રમી છે, જેમાંથી 12 માં ટીમની જીત થઈ છે અને 7 માં હાર થઈ છે.

ગૌતમ ગંભીરે જુલાઈ 2024 માં ટીમ ઈન્ડિયાના હેડ કોચની જવાબદારી સંભાળી હતી. તેના કાર્યકાળમાં ટીમે અત્યાર સુધી 19 ટેસ્ટ મેચ રમી છે, જેમાંથી 7 માં જીત અને 10 માં હારનો સામનો કરવો પડ્યો છે. આ સમયગાળા દરમિયાન ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકાએ ભારતમાં આવીને ટીમ ઈન્ડિયાને ટેસ્ટમાં ક્લીન સ્વીપ કર્યું છે. ગંભીરના કાર્યકાળમાં ભારતે 20 વન-ડે રમી છે, જેમાંથી 12 માં ટીમની જીત થઈ છે અને 7 માં હાર થઈ છે.

Published On - 1:57 pm, Tue, 17 February 26

Follow Us
Loading...
Unable to load recommendations.