
અદાણી એનર્જી સોલ્યુશન્સ 44,000 કરોડ રૂપિયાના ટ્રાન્સમિશન પ્રોજેક્ટ્સ અને 13,600 કરોડ રૂપિયાના સ્માર્ટ મીટરિંગ પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યું છે. આ ઉપરાંત, અદાણી પોર્ટ્સે ગયા નાણાકીય વર્ષમાં રેકોર્ડ 450 મિલિયન મેટ્રિક ટન કાર્ગોનું સંચાલન કર્યું હતું. Adani Energy Solutions Ltd શુક્રવારે 870.70 પર બંધ થયો હતો. જોકે હવે આ સેક્ટરને મોટું બુસ્ટ મળશે જેની શેર પર સીધી અસર જોવા મળશે.

અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ આગામી નાણાકીય વર્ષ સુધીમાં 10 ગીગાવોટ સોલર મોડ્યુલ ઉત્પાદનનું એકીકૃત યુનિટ શરૂ કરવાની તૈયારી કરી રહી છે. એરપોર્ટ ક્ષેત્રમાં પણ, અદાણી ગ્રુપે 94 મિલિયન મુસાફરોને સેવા આપી છે. નવી મુંબઈમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ આ વર્ષના અંત સુધીમાં કાર્યરત થશે, જેની પ્રારંભિક ક્ષમતા 20 મિલિયન મુસાફરોની હશે.

જોકે, ગૌતમ અદાણીએ ધારાવી પુનર્વસન પ્રોજેક્ટને સૌથી મહત્વપૂર્ણ ગણાવ્યો. તેમણે કહ્યું કે ધારાવી, જે એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી છે, તેને ભારતના સૌથી મહત્વાકાંક્ષી શહેરી પુનર્વસન પ્રોજેક્ટમાં પરિવર્તિત કરવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટ 10 લાખથી વધુ લોકોને સારું જીવન આપશે અને લોકોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. (નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.)