
ભારતીય પુરાતત્વ વિભાગના જણાવ્યા અનુસાર રંગોળીના સૌથી જૂના પુરાવા પણ મોહેંજોદડો અને હડપ્પા સંસ્કૃતિ સાથે સંબંધિત છે. પુરાતત્વ વિભાગના અહેવાલ મુજબ આ સંસ્કૃતિઓમાં અલ્પના પ્રતીકો મળી આવ્યા છે, જે રંગોળી સાથે ખૂબ જ મળતા આવે છે.

એવી પણ માન્યતા છે કે દિવાળીના દિવસે દેવી લક્ષ્મીનું સ્વાગત કરવા માટે લોકો ઘરના મુખ્ય દ્વાર પર રંગોળી બનાવે છે. તેનાથી ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે અને તેમની કૃપા હંમેશા બની રહે છે.

તમને જણાવી દઈએ કે દિવાળી દરમિયાન જ્યારે દેવી લક્ષ્મી, ગણેશ અને કુબેરજીના સ્વાગત માટે રંગોળી બનાવવામાં આવે છે, ત્યારે તેના પર દેવી-દેવતાઓની કૃપા રહે છે.

રંગોળી માત્ર ધાર્મિક પરંપરાઓનો જ એક ભાગ નથી, પરંતુ તેનું સાંસ્કૃતિક મહત્વ પણ છે. વિવિધ પ્રદેશોમાં વિવિધ પ્રકારની રંગોળી બનાવવામાં આવે છે. જે તે સ્થળની સાંસ્કૃતિક ઓળખ દર્શાવે છે. રંગોળી એ ભારતીય સંસ્કૃતિનો એક અભિન્ન અંગ છે. જેને પેઢીઓથી સાચવવામાં આવે છે અને તેનું જતન કરવામાં આવે છે.

રંગોળી શબ્દ એક પ્રાચીન સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ રંગો દ્વારા લાગણીઓ વ્યક્ત કરવી. હવે રંગોળી બનાવવાની વાત કરીએ તો ફૂલો, રંગો, ગુલાલ અને લોટનો ઉપયોગ કરીને રંગોળી તૈયાર કરવામાં આવે છે અને દિવાળીની પૂજામાં તેની ડિઝાઇન તેમના ઘરના પ્રવેશદ્વાર પર દેવી લક્ષ્મી, સ્વસ્તિક, કમળના ફૂલ અને મોર જેવી ડિઝાઈન પર આધારિત હોય છે. (Disclaimer : આ લેખ લોકપ્રિય માન્યતાઓ પર આધારિત છે. અહીં આપવામાં આવેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અને સંપૂર્ણતા માટે TV 9 gujarati જવાબદાર નથી.)