
પ્રેમાનંદ મહારાજને મળ્યા પછી, વિરાટ કોહલીનું જીવન બદલાઈ ગયું. આ પછી તરત જ, કોહલીએ શ્રીલંકા સામેની મેચમાં ત્રણ વર્ષ પછી તેની પહેલી સદી ફટકારી હતી. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પહેલા પણ જાન્યુઆરી 2023 અને જાન્યુઆરી 2025માં પણ પ્રેમાનંદ મહારાજના આશ્રમની મુલાકાત લઈ ચૂક્યા છે.

ત્રણ વર્ષ સુધી તેનું બેટ શાંત રહ્યું. આ પછી વિરાટે ટેસ્ટ ક્રિકેટમાં પણ સદી ફટકારી. તે 2023 થી સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે.

13 મે,2025 ના રોજ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પ્રેમાનંદ ગોવિંદ શરણ જી મહારાજને મળવા વૃંદાવન ગયા હતા, જ્યારે વિરાટે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. પ્રેમાનંદ જી મહારાજ સાથે આ તેમની ત્રીજી મુલાકાત હતી. આ ઉપરાંત, તેઓ પહેલા 4 જાન્યુઆરી, 2023 અને 10 જાન્યુઆરી, 2023 ના રોજ પણ તેમના દર્શન માટે ગયા હતા.
Published On - 2:26 pm, Wed, 4 June 25