
ઇંગ્લેન્ડ સામેની ત્રણ T20 મેચમાં વૈભવ સૂર્યવંશી 14, 13 અને 15 રન જ બનાવી શક્યો છે. તેના પ્રદર્શન બાદ સોશિયલ મીડિયા પર તેની ટેકનિક અને પસંદગી અંગે સવાલો ઉઠી રહ્યા છે.

વિરાટ કોહલીએ 2008 માં શ્રીલંકા સામે વિદેશમાં કારકિર્દીની શરૂઆત કરી હતી. પ્રથમ ત્રણ ઇનિંગ્સમાં તેણે અનુક્રમે 12, 37 અને 25 રન બનાવ્યા હતા. ત્યારબાદ જ તેણે વિશ્વ ક્રિકેટમાં પોતાનું પ્રભુત્વ સ્થાપિત કર્યું.

રોહિત શર્માએ પોતાની પ્રથમ વિદેશી ODI ઇનિંગમાં માત્ર 8 રન બનાવ્યા હતા. શરૂઆતમાં તે પણ સતત સફળ રહ્યા નહોતા. ઓપનર બન્યા બાદ જ તેમની કારકિર્દીએ નવી ઊંચાઈ હાંસલ કરી હતી.

માત્ર ત્રણ મેચના આધારે કોઈ ખેલાડીનું મૂલ્યાંકન કરવું યોગ્ય નથી. વૈભવની પ્રતિભા જોઈને જ તેને ટીમ ઈન્ડિયામાં તક મળી છે અને તેને વધુ તક આપવાની જરૂર છે.

વૈભવ પાસે હજુ પણ પોતાની ક્ષમતા સાબિત કરવાની તક છે. જો તેને સતત વિશ્વાસ મળશે તો તે પણ ભવિષ્યમાં ભારતીય ક્રિકેટનો મોટો સ્ટાર બની શકે છે. (PC:PTI/X)