વિરાટ કોહલીને ફ્રીમાં રમતો જોવો હોય તો સાથે રાખો આ ડોક્યુમેન્ટ, ભૂલ્યા તો નહીં મળે સ્ટેડિયમમાં એન્ટ્રી

|

Jan 29, 2025 | 9:01 PM

ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી દિલ્હી અને રેલવે વચ્ચે રમાનારી રણજી મેચમાં ભાગ લેશે. આ મેચ માટે સ્ટેડિયમમાં ફેન્સની એન્ટ્રી ફ્રી રાખવામાં આવી છે. પરંતુ ચાહકોએ તેમની સાથે એક મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ લાવવું પડશે. તો જ તેમને સ્ટેડિયમમાં એન્ટ્રી મળશે.

1 / 5
ટીમ ઈન્ડિયાનો દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી લાંબા સમય બાદ ઘરેલુ ક્રિકેટમાં વાપસી કરવા જઈ રહ્યો છે. તેણે છેલ્લા 13 વર્ષથી કોઈ ડોમેસ્ટિક મેચ રમી નથી. વિરાટ કોહલી 2024-25ની રણજી ટ્રોફીમાં દિલ્હી તરફથી રમતા જોવા મળશે. જ્યાં દિલ્હીનો મુકાબલો રેલવેની ટીમ સાથે થશે. રણજી ટ્રોફીના ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચો 30 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહી છે. દિલ્હી અને રેલવેની ટીમો વચ્ચેની આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે.

ટીમ ઈન્ડિયાનો દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી લાંબા સમય બાદ ઘરેલુ ક્રિકેટમાં વાપસી કરવા જઈ રહ્યો છે. તેણે છેલ્લા 13 વર્ષથી કોઈ ડોમેસ્ટિક મેચ રમી નથી. વિરાટ કોહલી 2024-25ની રણજી ટ્રોફીમાં દિલ્હી તરફથી રમતા જોવા મળશે. જ્યાં દિલ્હીનો મુકાબલો રેલવેની ટીમ સાથે થશે. રણજી ટ્રોફીના ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચો 30 જાન્યુઆરીથી શરૂ થવા જઈ રહી છે. દિલ્હી અને રેલવેની ટીમો વચ્ચેની આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે.

2 / 5
DDCA વિરાટની ઘરેલુ ક્રિકેટમાં વાપસી માટે ખાસ તૈયારીઓ કરી રહ્યું છે. અરુણ જેટલી સ્ટેડિયમ આ મેચ દરમિયાન 10,000 પ્રશંસકોનું આયોજન કરવા જઈ રહ્યું છે. ખાસ વાત એ છે કે ફેન્સ માટે ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે. સામાન્ય રીતે રણજી મેચમાં ચાહકો માટે એક સ્ટેન્ડ ખોલવામાં આવે છે પરંતુ આ મેચ માટે DDCA આંબેડકર સ્ટેડિયમના ત્રણ સ્ટેન્ડ ખોલશે. આ મેચ દરમિયાન ચાહકો ગેટ નંબર 15 અને 16થી સ્ટેડિયમમાં પ્રવેશ કરી શકશે.

DDCA વિરાટની ઘરેલુ ક્રિકેટમાં વાપસી માટે ખાસ તૈયારીઓ કરી રહ્યું છે. અરુણ જેટલી સ્ટેડિયમ આ મેચ દરમિયાન 10,000 પ્રશંસકોનું આયોજન કરવા જઈ રહ્યું છે. ખાસ વાત એ છે કે ફેન્સ માટે ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે. સામાન્ય રીતે રણજી મેચમાં ચાહકો માટે એક સ્ટેન્ડ ખોલવામાં આવે છે પરંતુ આ મેચ માટે DDCA આંબેડકર સ્ટેડિયમના ત્રણ સ્ટેન્ડ ખોલશે. આ મેચ દરમિયાન ચાહકો ગેટ નંબર 15 અને 16થી સ્ટેડિયમમાં પ્રવેશ કરી શકશે.

3 / 5
જોકે, ફેન્સને સિક્યુરિટી ચેકિંગમાંથી પસાર થવું પડશે. સાથે જ સ્ટેડિયમમાં પ્રવેશવા માટે ચાહકોએ પોતાનું આધાર કાર્ડ સાથે લાવવાનું રહેશે. દિલ્હી અને જિલ્લા ક્રિકેટ એસોસિએશનના સચિવ અશોક કુમાર શર્માએ પ્રથમ દિવસે ઓછામાં ઓછા 10,000 લોકોની ભીડની અપેક્ષા રાખી છે.

જોકે, ફેન્સને સિક્યુરિટી ચેકિંગમાંથી પસાર થવું પડશે. સાથે જ સ્ટેડિયમમાં પ્રવેશવા માટે ચાહકોએ પોતાનું આધાર કાર્ડ સાથે લાવવાનું રહેશે. દિલ્હી અને જિલ્લા ક્રિકેટ એસોસિએશનના સચિવ અશોક કુમાર શર્માએ પ્રથમ દિવસે ઓછામાં ઓછા 10,000 લોકોની ભીડની અપેક્ષા રાખી છે.

4 / 5
ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા તેમણે કહ્યું, 'ગૌતમ ગંભીર સ્ટેન્ડ ચાહકો માટે ખુલ્લું રહેશે. ચાહકો ગેટ નંબર 16 અને 17 થી પ્રવેશ કરી શકે છે. DDCAના સભ્યો અને મહેમાનો માટે ગેટ નંબર 6 પણ ખુલ્લો રહેશે. અમે પ્રથમ દિવસે 10,000 ની ભીડની અપેક્ષા રાખીએ છીએ. આ એક ફ્રી એન્ટ્રી છે, ચાહકોએ માત્ર તેમનું આધાર કાર્ડ અને તેની ફોટોકોપી લાવવાની રહેશે. આ મેચ કોઈપણ ઈન્ટરનેશનલ કે આઈપીએલ મેચ જેવી હશે.

ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા તેમણે કહ્યું, 'ગૌતમ ગંભીર સ્ટેન્ડ ચાહકો માટે ખુલ્લું રહેશે. ચાહકો ગેટ નંબર 16 અને 17 થી પ્રવેશ કરી શકે છે. DDCAના સભ્યો અને મહેમાનો માટે ગેટ નંબર 6 પણ ખુલ્લો રહેશે. અમે પ્રથમ દિવસે 10,000 ની ભીડની અપેક્ષા રાખીએ છીએ. આ એક ફ્રી એન્ટ્રી છે, ચાહકોએ માત્ર તેમનું આધાર કાર્ડ અને તેની ફોટોકોપી લાવવાની રહેશે. આ મેચ કોઈપણ ઈન્ટરનેશનલ કે આઈપીએલ મેચ જેવી હશે.

5 / 5
વિરાટ કોહલીએ તેની છેલ્લી રણજી મેચ નવેમ્બર 2012માં રમી હતી. આવી સ્થિતિમાં વિરાટ કોહલીએ પણ આ મેચ માટે ઘણી તૈયારી કરી લીધી છે. કોહલીએ તેના સાથી ખેલાડીઓ સાથે બે દિવસ પ્રેક્ટિસ કરી હતી. (All Photo Credit : PTI / X / INSTAGRAM)

વિરાટ કોહલીએ તેની છેલ્લી રણજી મેચ નવેમ્બર 2012માં રમી હતી. આવી સ્થિતિમાં વિરાટ કોહલીએ પણ આ મેચ માટે ઘણી તૈયારી કરી લીધી છે. કોહલીએ તેના સાથી ખેલાડીઓ સાથે બે દિવસ પ્રેક્ટિસ કરી હતી. (All Photo Credit : PTI / X / INSTAGRAM)

Published On - 9:00 pm, Wed, 29 January 25