
તેમજ યશસ્વી જ્યસ્વાલને બહાર કરી વરુણ ચક્રવર્તીને ટીમમાં સ્થાન મળ્યું હતુ. ત્યારબાદ ખેલાડીઓની સંખ્યા 15 જ રહી હતી.

ટીમ ઈન્ડિયાએ આખી ચેમ્પિયન ટ્રોફી દરમિયાન 5 મેચ રમી અને આ દરમિયાન 12 ખેલાડીઓને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી હતી. એટલે કે,3 ખેલાડીઓએ એક પણ મેચ રમી શક્યા નથી.

રિષભ પંત, યશસ્વી જયસ્વાલ અને અર્શદીપ એક પણ મેચ રમી શક્યા ન હતા.આ ખેલાડીઓને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી ન હતી. ભારતે પોતાના સ્કવોડમાં પાંચ સ્પિનરને તક આપી હતી. જેમાં વરુણ ચક્રવર્તી,કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ રમ્યા હતા.

આ ખેલાડીઓએ એટલું શાનદાર પ્રદર્શન કર્યું કે, અન્ય કોઈને રમાડવાની જરુર પણ પડી ન હતી.વિકેટકીપર તરીકે પહેલી જ મેચમાં કે.એલ રાહુલને તક આપવામાં આવી હતી. તેમણે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતુ. ત્યારબાદ ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો.