
પૂજારાની જેમ, અજિંક્ય રહાણે ટીમ ઈન્ડિયાની ટેસ્ટ બેટિંગનો મુખ્ય આધાર હતો અને WTC ફાઈનલમાં તેણે સૌથી વધુ રન પણ બનાવ્યા હતા. જોકે, અગરકરે કમાન સંભાળતાની સાથે જ, આગામી શ્રેણીથી જ રહાણે માટે ટીમના દરવાજા બંધ થઈ ગયા. જોકે રહાણેએ હજી નિવૃત્તિ નથી લીધી.

છેલ્લા એક દાયકામાં ભારતીય ટીમની સફળતાના સૌથી મોટા કારણોમાંના એક રવિચંદ્રન અશ્વિને ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન અચાનક નિવૃત્તિ લઈ લીધી. 537 ટેસ્ટ વિકેટ લેનાર અશ્વિનની નિવૃત્તિ પાછળ કદાચ માત્ર અગરકર સંપૂર્ણપણે જવાબદાર ન હતો. ગંભીરે પણ આમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

ગંભીર-અગરકરના આગમન બાદ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન રોહિત શર્માનું અચાનક પતન શરુ થયું. મે મહિનામાં તેણે અચાનક ટેસ્ટમાંથી નિવૃત્તિ લઈ લીધી. હવે અગરકરે રોહિત પાસેથી ODI કેપ્ટનશીપ છીનવી લીધી છે, જેનાથી કદાચ સ્પષ્ટ થઈ ગયું છે કે આ ફોર્મેટમાં પણ ટીમમાં તેનું સ્થાન અનિશ્ચિત છે.

ભાગ્યે જ કોઈએ કલ્પના કરી હશે કે વિરાટ કોહલી અચાનક એકઈન્સ્ટાગ્રામ પોસ્ટ સાથે ટેસ્ટ કારકિર્દીનો અંત લાવશે, વનડેમાં સૌથી વધુ સદી ફટકારનાર કોહલીને એક જ વનડે શ્રેણી રમવાની ફરજ પાડવામાં આવશે. પરંતુ અગરકર-ગંભીરે ટીમમાં ફેરફારોનો ઉલ્લેખ કરી સ્પષ્ટ કરી દીધું કે ટીમ તેના વિના આગળ વધવા તૈયાર છે.

છેલ્લા આઠથી નવ વર્ષથી ભારતીય ટીમને દરેક ફોર્મેટમાં સફળતા અપાવ્યા પછી અને પછી સતત બે ODI વર્લ્ડ કપમાં લગભગ 40 વિકેટ લીધા પછી, ચેમ્પિયન્સ ટ્રોફીમાં નવ વિકેટ લઈ ટીમને ચેમ્પિયન બનાવનાર શમીને ફિટનેસની સમસ્યાનું કારણ સામે રાખી હવે ટીમની બહાર જ કરી દેવામાં આવ્યો છે. (All Photo Credit : PTI / GETTY)