બહુ ઓછા લોકો જાણે છે કે દેશમાં 'સચિન' અને 'કોહલી' નામનું એક રેલવે સ્ટેશન છે.
સચિન' રેલવે સ્ટેશન ગુજરાતના સુરત શહેરમાં આવેલું છે, જ્યારે 'કોહલી' રેલવે સ્ટેશન મહારાષ્ટ્રના નાગપુરમાં આવેલું છે.
જો કે સચિન તેંડુલકર અને વિરાટ કોહલીમાંથી કોઈએ પણ આજ સુધી આ રેલવે સ્ટેશનની મુલાકાત લીધી નથી.
જો કે આ રેલવે સ્ટેશનના નામ સચિન તેંડુલકર અને વિરાટ કોહલીના નામ પરથી રાખવામાં આવ્યા નથી.
'સચિન' અને 'કોહલી' આ બંને રેલવે સ્ટેશન સચિન તેંડુલકર અને વિરાટ કોહલીના જન્મ પહેલાથી છે. એનો અર્થ એ થયો કે સચિન તેંડુલકર અને વિરાટ કોહલીની લોકપ્રિયતાને કારણે આ રેલવે સ્ટેશનનું નામકરણ કરવામાં આવ્યું નથી.
સચિન તેંડુલકરના નામ પરથી આવેલું રેલવે સ્ટેશન ગુજરાત રાજ્યના સુરત શહેર નજીક મુંબઈ-અમદાવાદ-જયપુર-દિલ્હી લાઈન પર આવેલું છે.
ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે વર્ષ 2023માં આ રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી અને ત્યાંની એક તસવીર પણ શેર કરી હતી.
ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન કોહલીના નામ પરથી રેલવે સ્ટેશન નાગપુર સીઆર રેલવે વિભાગ હેઠળ ભોપાલ-નાગપુર સેક્શન પર આવેલું છે. તે મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના કાલમેશ્વરના યેલકાપર ખાતે સ્ટેટ હાઈવે 250ની બાજુમાં આવેલું છે. (All Photo Credit : PTI / GETTY / X / INSTAGRAM)