
રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગ કરે છે. પરંતુ, હાલમાં બંને ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે મોટી ભાગીદારી બનાવવામાં નિષ્ફળ રહ્યા હતા. આ જ રીતે બંને જમ્મુ-કાશ્મીર સામેની રણજી મેચની પ્રથમ ઈનિંગમાં નિષ્ફળ રહ્યા હતા. બંનેએ મળીને મુંબઈ માટે માત્ર 6 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી.

યશસ્વી જયસ્વાલે 8 બોલનો સામનો કરીને 4 રન બનાવ્યા હતા. જ્યારે રોહિત શર્માએ 19 બોલનો સામનો કર્યો હતો પરંતુ તે પણ 10 રનનો આંકડો પાર કરી શક્યો નહોતો. રોહિતે માત્ર 3 રન બનાવ્યા હતા.

ટીમ ઈન્ડિયાનો અન્ય એક સ્ટાર ખેલાડી શ્રેયસ અય્યર પણ મુંબઈ તરફથી રમી રહ્યો છે. પરંતુ તે પણ પ્રથમ દાવમાં કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો. શ્રેયસ બાકીના કરતા અલગ રહ્યો, કારણ કે તેણે 10 થી વધુ રન બનાવ્યા હતા. શ્રેયસ અય્યર 11 રન બનાવીને આઉટ થયો હતો. (All Photo Credit : PTI)
Published On - 4:06 pm, Thu, 23 January 25