IPL Retention Player Complete List 2025: રિષભ પંત, શ્રેયસ ઐયર, KL રાહુલને ના કરાયા રિટેન, ધોની IPL રમશે

IPL Retention Player Complete List 2025 : તમામ 10 ટીમોએ IPL 2025 માટે તેમની રીટેન્શન લિસ્ટ જાહેર કરી છે. મોટા સમાચાર એ છે કે એમએસ ધોની IPL 2025 રમશે અને તેને ચેન્નાઈએ રિટેન કર્યા છે. જ્યારે દિલ્હી કેપિટલ્સે રિષભ પંતને રિટેન કર્યો નથી. કેએલ રાહુલ પણ લખનૌ સુપરજાયન્ટ્સમાંથી બહાર છે. મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્મા સહિત 5 ખેલાડીઓને રિટેન કર્યા છે. બેંગલુરુએ માત્ર ત્રણ ખેલાડીઓને રિટેન કર્યા છે જેમાં વિરાટ કોહલી, રજત પાટીદાર અને યશ દયાલનો સમાવેશ થાય છે. પંજાબની ટીમે માત્ર 2 ખેલાડીઓને રિટેન કર્યા છે.

| Updated on: Oct 31, 2024 | 6:46 PM
4 / 11
કોલકાતા નાઈટ રાઈડર્સે આશ્ચર્યજનક નિર્ણય લીધો છે અને તેના કેપ્ટન શ્રેયસ અય્યરને છોડી દીધો છે. KKRએ 6 ખેલાડીઓને રિટેન કર્યા છે જેમાંથી રિંકુ સિંહને સૌથી વધુ 13 કરોડ રૂપિયા મળ્યા છે. વરુણ ચક્રવર્તી અને સુનીલ નારાયણને 12-12 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યા છે. આન્દ્રે રસેલને 12 કરોડ રૂપિયામાં અને હર્ષિત રાણા-રમનદીપ સિંહને 4 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યા છે.

કોલકાતા નાઈટ રાઈડર્સે આશ્ચર્યજનક નિર્ણય લીધો છે અને તેના કેપ્ટન શ્રેયસ અય્યરને છોડી દીધો છે. KKRએ 6 ખેલાડીઓને રિટેન કર્યા છે જેમાંથી રિંકુ સિંહને સૌથી વધુ 13 કરોડ રૂપિયા મળ્યા છે. વરુણ ચક્રવર્તી અને સુનીલ નારાયણને 12-12 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યા છે. આન્દ્રે રસેલને 12 કરોડ રૂપિયામાં અને હર્ષિત રાણા-રમનદીપ સિંહને 4 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યા છે.

5 / 11
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે માત્ર 3 ખેલાડીઓને રિટેન કરીને સૌને ચોંકાવી દીધા હતા. RCBએ સૌથી વધુ 21 કરોડ રૂપિયામાં વિરાટ કોહલીને રિટેન કર્યો છે. રજત પાટીદારને 11 કરોડમાં અને યશ દયાલને 5 કરોડમાં રિટેન કરવામાં આવ્યા હતા. આરસીબીએ તેના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસને રિટેન કર્યો નથી. મેક્સવેલને પણ મુક્ત કરવામાં આવ્યો છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે માત્ર 3 ખેલાડીઓને રિટેન કરીને સૌને ચોંકાવી દીધા હતા. RCBએ સૌથી વધુ 21 કરોડ રૂપિયામાં વિરાટ કોહલીને રિટેન કર્યો છે. રજત પાટીદારને 11 કરોડમાં અને યશ દયાલને 5 કરોડમાં રિટેન કરવામાં આવ્યા હતા. આરસીબીએ તેના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસને રિટેન કર્યો નથી. મેક્સવેલને પણ મુક્ત કરવામાં આવ્યો છે.

6 / 11
રાજસ્થાન રોયલ્સે 6 ખેલાડીઓને રિટેન કર્યા છે. જેમાં કેપ્ટન સંજુ સેમસન અને યશસ્વી જયસ્વાલને 18-18 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યા છે. રિયાન પરાગ અને ધ્રુવ જુરેલને 14-14 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યા છે. શિમરોન હેટમાયરને 11 કરોડમાં રિટેન કરવામાં આવ્યો છે. સંદીપ શર્માને 4 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો. ટીમે યુઝવેન્દ્ર ચહલ અને અશ્વિન બંનેને રિલીઝ કર્યા છે.

રાજસ્થાન રોયલ્સે 6 ખેલાડીઓને રિટેન કર્યા છે. જેમાં કેપ્ટન સંજુ સેમસન અને યશસ્વી જયસ્વાલને 18-18 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યા છે. રિયાન પરાગ અને ધ્રુવ જુરેલને 14-14 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યા છે. શિમરોન હેટમાયરને 11 કરોડમાં રિટેન કરવામાં આવ્યો છે. સંદીપ શર્માને 4 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો. ટીમે યુઝવેન્દ્ર ચહલ અને અશ્વિન બંનેને રિલીઝ કર્યા છે.

7 / 11
સનરાઇઝર્સ હૈદરાબાદે પાંચ ખેલાડીઓને રિટેન કર્યા છે, જેમાંથી હેનરિક ક્લાસેન 23 કરોડ રૂપિયામાં ટીમમાં રહેશે. કેપ્ટન પેટ કમિન્સને 18 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો છે. અભિષેક શર્માને 14 કરોડમાં રિટેન કર્યો હતો. ટ્રેવિસ હેડને પણ 14 કરોડ રૂપિયા મળ્યા છે. નીતિશ રેડ્ડીને 6 કરોડ રૂપિયા મળ્યા છે.

સનરાઇઝર્સ હૈદરાબાદે પાંચ ખેલાડીઓને રિટેન કર્યા છે, જેમાંથી હેનરિક ક્લાસેન 23 કરોડ રૂપિયામાં ટીમમાં રહેશે. કેપ્ટન પેટ કમિન્સને 18 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો છે. અભિષેક શર્માને 14 કરોડમાં રિટેન કર્યો હતો. ટ્રેવિસ હેડને પણ 14 કરોડ રૂપિયા મળ્યા છે. નીતિશ રેડ્ડીને 6 કરોડ રૂપિયા મળ્યા છે.

8 / 11
લખનૌ સુપરજાયન્ટ્સે તેમના કેપ્ટન કેએલ રાહુલને રિટેન કર્યો નથી. નિકોલસ પુરનને સૌથી વધુ 21 કરોડ રૂપિયા મળ્યા છે. રવિ બિશ્નોઈ અને મયંક યાદવને 11-11 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યા છે. મોહસીન ખાન, આયુષ બદોનીને 4-4 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યા હતા.

લખનૌ સુપરજાયન્ટ્સે તેમના કેપ્ટન કેએલ રાહુલને રિટેન કર્યો નથી. નિકોલસ પુરનને સૌથી વધુ 21 કરોડ રૂપિયા મળ્યા છે. રવિ બિશ્નોઈ અને મયંક યાદવને 11-11 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યા છે. મોહસીન ખાન, આયુષ બદોનીને 4-4 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યા હતા.

9 / 11
ચેન્નાઈ સુપર કિંગ્સે પાંચ ખેલાડીઓને રિટેન કર્યા છે. જેમાં રૂતુરાજ ગાયકવાડ અને રવિન્દ્ર જાડેજાને 18-18 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. મથીશા પથિરાનાને 13 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો છે. શિવમ દુબેને 12 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો હતો. ધોનીને 4 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો હતો.

ચેન્નાઈ સુપર કિંગ્સે પાંચ ખેલાડીઓને રિટેન કર્યા છે. જેમાં રૂતુરાજ ગાયકવાડ અને રવિન્દ્ર જાડેજાને 18-18 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. મથીશા પથિરાનાને 13 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો છે. શિવમ દુબેને 12 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો હતો. ધોનીને 4 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો હતો.

10 / 11
ગુજરાત ટાઇટન્સે રાશિદ ખાનને 18 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. જ્યારે કેપ્ટન શુભમન ગિલને 16.5 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો છે. સાઈ સુદર્શનને 8.5 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યા છે. રાહુલ તેવટિયા અને શાહરૂખ ખાનને 4-4 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યા છે.

ગુજરાત ટાઇટન્સે રાશિદ ખાનને 18 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. જ્યારે કેપ્ટન શુભમન ગિલને 16.5 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો છે. સાઈ સુદર્શનને 8.5 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યા છે. રાહુલ તેવટિયા અને શાહરૂખ ખાનને 4-4 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યા છે.

11 / 11
પંજાબ કિંગ્સે 2 ખેલાડીઓને રિટેન કર્યા છે. શશાંક સિંહને 5.5 કરોડ રૂપિયામાં, પ્રભસિમરન સિંહને 4 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યા છે.

પંજાબ કિંગ્સે 2 ખેલાડીઓને રિટેન કર્યા છે. શશાંક સિંહને 5.5 કરોડ રૂપિયામાં, પ્રભસિમરન સિંહને 4 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યા છે.

Published On - 6:42 pm, Thu, 31 October 24