
પંજાબ કિંગ્સ IPLમાં અય્યરની ત્રીજી ફ્રેન્ચાઈઝી હશે અને આ તેની ત્રીજી કેપ્ટન તરીકેની ભૂમિકા પણ હશે. તેણે 2015માં દિલ્હી કેપિટલ્સ સાથે IPLમાં ડેબ્યૂ કર્યું હતું અને 2018માં તેને કેપ્ટનશીપ સોંપવામાં આવી હતી. 2020માં તેણે પહેલીવાર દિલ્હી કેપિટલ્સને IPL ફાઈનલમાં પહોંચાડ્યું હતું.

શ્રેયસ અય્યરે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં 243 રન બનાવ્યા હતા અને તે ન્યુઝીલેન્ડના રચિન રવિન્દ્ર પછી બીજો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. 2024નું વર્ષ શ્રેયસ અય્યરનું ખૂબ જ સારું રહ્યું છે. તે રણજી અને ઈરાની ટ્રોફી જીતનારી મુંબઈ ટીમનો ભાગ હતો. તેની કેપ્ટનશીપ હેઠળ મુંબઈએ ડિસેમ્બર 2024માં બીજી વખત સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતી હતી.

અય્યરે પોતાની ફિટનેસ અને ટ્રેનિંગ રૂટિન વિશે પણ વાત કરી. તેણે કહ્યું, 'હું મારા ટ્રેનિંગ રૂટિનથી ખૂબ ખુશ છું. સાગર નામનો એક ટ્રેનર મારી સાથે કામ કરે છે અને તે મારી ફિલ્ડ એક્ટિવિટીના આધારે મારા માટે શેડ્યૂલ બનાવે છે. તેણે મારા શરીરમાં પરિવર્તન લાવવા અને ટ્રેનિંગને સમજવામાં મને ઘણી મદદ કરી. તેણે IPL દરમિયાન પણ મારી સાથે કામ કર્યું હતું. મારી ફિટનેસમાં તેનો મોટો ફાળો છે. (All Photo Credit : PTI)
Published On - 9:49 pm, Tue, 11 March 25