IPL 2025 Auction : ટીમ ઈન્ડિયાના 10 ખેલાડીઓ IPLમાંથી બહાર, આ છે કારણ
IPL 2025 ઓક્શનમાં જ્યાં એક તરફ રિષભ પંત, શ્રેયસ અય્યર, વેંકટેશ અય્યરને ઈન્ડિયન પ્રીમિયર લીગની હરાજીમાં 20 કરોડ રૂપિયાથી વધુની રકમ મળી, તો બીજી તરફ કેટલાક એવા સ્ટાર ખેલાડીઓ પણ હતા જેમને કોઈ ખરીદનાર ન મળ્યો. આશ્ચર્યજનક વાત એ છે કે આ બધા ટીમ ઈન્ડિયા તરફથી નેશનલ ટીમમાં રમી ચૂક્યા છે અને ક્રિકેટજગતના બહુચર્ચિત ખેલાડીઓ છે. અમે તમને ટીમ ઈન્ડિયાના એવા 10 ખેલાડીઓ વિશે જણાવીએ જે IPL ઓક્શનમાં વેચાયા ન હતા.
IPLમાં ગયા વર્ષે ગુજરાત ટાઈટન્સ તરફથી રમી ચૂકેલા ઉમેશ યાદવને આ વખતે કોઈ ખરીદનાર મળ્યો નથી. ગયા વર્ષે ઉમેશે ગુજરાત માટે 8 વિકેટ લીધી હતી. IPL કારકિર્દીમાં તેણે 144 વિકેટ ઝડપી છે પરંતુ આ વખતે તેને કોઈ ટીમે ખરીદ્યો નથી.
5 / 5
નવદીપ સૈની, શિવમ માવી, ચેતન સાકરિયા, સંદીપ વોરિયરને પણ કોઈ ખરીદનાર મળ્યો નથી. આ ખેલાડીઓ ટીમ ઈન્ડિયા તરફથી પણ રમી ચૂક્યા છે. કૃષ્ણપ્પા ગૌતમને ઓલરાઉન્ડરમાં કોઈ ખરીદનાર મળ્યો ન હતો. વિકેટકીપર કેએસ ભરત પર કોઈએ દાવ લગાવ્યો નહીં. (All Photo Credit : PTI / X)