એવું લાગે છે કે પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ અય્યરનું નસીબ ચમકી રહ્યું છે. પહેલા તેને IPL હરાજીમાં 26.75 કરોડની મોટી રકમ મળી, પછી તેણે ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ઘણા ખિતાબ જીત્યા અને તે પછી તે ટીમ ઈન્ડિયામાં પાછો ફર્યો અને ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતી. હવે આ ખેલાડીને બીજા સારા સમાચાર મળવાના છે.
શ્રેયસ અય્યરને ફરીથી BCCIનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મળવાના સમાચાર છે. ગયા વર્ષે તેને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરવામાં આવ્યો હતો, પરંતુ હવે તે ગ્રેડ A માં આવી શકે છે અને આ માટે તેને વાર્ષિક 5 કરોડ રૂપિયા મળશે.
શ્રેયસ અય્યરને ચેમ્પિયન્સ ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ભારત માટે સૌથી વધુ રન બનાવ્યા હતા અને હવે BCCI અય્યરને તેની મહેનતનું ઈનામ આપવા જઈ રહ્યું છે.
જોકે, રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ઘરેલુ ક્રિકેટમાં સારું પ્રદર્શન કરનાર અને તાજેતરમાં IPL 2025માં SRH માટે સદી ફટકારનાર ઈશાન કિશનને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મળશે નહીં. ટેકનિકલ કારણોસર આ ખેલાડી સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મેળવી શકશે નહીં.
BCCIના નિયમો મુજબ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મેળવવા માટે ખેલાડીએ એક કેલેન્ડર વર્ષમાં ત્રણ ટેસ્ટ, આઠ વનડે અથવા દસ T20 મેચ રમવાની હોય છે.
શ્રેયસ ઉપરાંત, T20 વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતના વિજયરથમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર ઓલરાઉન્ડર અક્ષર પટેલને પણ પ્રમોશન મળવાનું છે.
આ સિવાય છેલ્લા એક વર્ષમાં ભારત માટે અલગ અલગ ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કરનારા વરુણ ચક્રવર્તી, નીતિશ કુમાર રેડ્ડી અને અભિષેક શર્મા પાસે પણ તેમનો પહેલો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મેળવવાની સારી તક છે.
વિરાટ કોહલી અને રોહિત શર્માએ T20 ફોર્મેટને અલવિદા કહી દીધું છે, પરંતુ તેમ છતાં બંનેને A+ ગ્રેડ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મળવા જઈ રહ્યો છે. આ બંનેને વાર્ષિક 7 કરોડ રૂપિયા મળવાના છે. (All Photo Credit : PTI)
Published On - 6:46 pm, Tue, 1 April 25