
હકીકતમાં મુંબઈ ઈન્ડિયન્સે એક રણનીતિ બનાવી હતી કે જો તેઓ ટોસ જીતીને પહેલા બોલિંગ કરશે, તો તેઓ રોહિત શર્માને એક ઈમ્પેક્ટ પ્લેયર તરીકે મેદાનમાં ઉતારશે.

વાનખેડેમાં પણ આવું જ બન્યું અને તેથી જ રોહિત શર્માને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખવામાં આવ્યો હતો.

અહીં રણનીતિ ડાબા હાથના ઝડપી બોલર અશ્વિની કુમારનો ઉપયોગ કરવાની છે અને રોહિત શર્મા તેની જગ્યાએ ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમશે.

જોકે, એ વાત ચોક્કસ છે કે મુંબઈને બોલિંગ દરમિયાન રોહિત શર્માની ફિલ્ડિંગ સેવાઓ મળશે નહીં.

મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ ઈલેવન - રાયન રિકેલ્ટન, વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, નમન ધીર, મિશેલ સેન્ટનર, દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટ, અશ્વિની કુમાર, વિગ્નેશ પુથુર. ઈમ્પેક્ટ સબ્સ પ્લેયર્સ : રોહિત શર્મા, કોર્બિન બોશ, રાજ બાવા, રોબિન મિંજ, સત્યનારાયણ રાજુ. (All Photo Credit : PTI / X / MI)
Published On - 8:40 pm, Mon, 31 March 25