
તમને જણાવી દઈએ કે, જે ટીમ પ્રથમ અને બીજા નંબર પર પોઈન્ટ ટેબલમાં રહે છે. તેની પાસે ફાઈનલમાં જવાની તક હોય છે. આઈપીએલના લીગ તબક્કો સમાપ્ત થયા બાદ પ્રથમ ક્વોલિફાય પ્રથમ અને બીજા વચ્ચે રમાય છે.

જે ટીમ જીતે છે તે સીધી ફાઈનલમાં પહોંચે છે. જે ટીમ હારે છે તે બહાર થતી નથી પરંતુ બીજી ક્વોલિફાય મેચ રમે છે. તેમજ ત્રીજા અને ચોથા સ્થાને રહેતી ટીમ બહાર થઈ જાય છે.

આવી સ્થિતિમાં, પ્રથમ અને બીજા સ્થાને ટીમો પાસે ટાઇટલ જીતવાની વધુ તક છે. આ જ કારણ છે કે કોઈ પણ ટીમ ફક્ત પ્લેઓફમાં પહોંચીને ખુશ નથી થતી. ટીમ પ્રથમ સ્થાને પહોંચે તે માટે ટકકર અંત સુધી ચાલુ રહે છે. હવે જોવાનું એ છે કે આ વર્ષે કઈ ટીમ પ્રથમ અને બીજા સ્થાને પહોંચે છે.