
પરંતુ તે પહેલા અમ્પાયરો મેચ પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે અને તેમને આ માટે પૂરતો સમય મળશે. BCCIએ પહેલાથી જ પ્લેઓફ મેચો માટે વધારાની 120 મિનિટનો સમય આપવાનો નિર્ણય લીધો હતો. આ વાતને ધ્યાનમાં રાખીને, પંજાબ-મુંબઈ મેચમાં 2 કલાક સુધી કોઈ ઓવર કાપવામાં આવશે નહીં. જો મેચ રાત્રે 9:30 વાગ્યા સુધીમાં શરૂ ન થાય, તો ઓવરો ઓછી થવા લાગશે.

પરિણામ પ્રાપ્ત કરવાની વાત કરીએ તો, આ માટે T20 ક્રિકેટના મૂળભૂત નિયમો લાગુ કરવામાં આવશે. T20 ક્રિકેટમાં વરસાદ કે અન્ય કારણોસર પ્રભાવિત કોઈપણ મેચમાં પરિણામ મેળવવા માટે ઓછામાં ઓછી 5-5 ઓવર રમવી જરૂરી છે. આ નિયમ આ મેચ પર પણ લાગુ પડશે. તેના માટે મેચ રાત્રે 11:56 વાગ્યા સુધીમાં શરૂ થવી પડશે. (AllPhoto Credit : PTI / Getty / X)
Published On - 9:52 pm, Sun, 1 June 25