ચેન્નાઈ સુપર કિંગ્સ IPL 2024માં પ્લેઓફ માટે ક્વોલિફાય થવાની ખૂબ નજીક છે, પરંતુ એક બાબતમાં તેનું ટેન્શન ચાલુ છે. અહીં અમે ટોસ વિશે વાત કરી રહ્યા છીએ જ્યાં CSKના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડનું નસીબ જરા પણ સાથ નથી આપી રહ્યું.
પંજાબ કિંગ્સ સામેની મેચમાં ઋતુરાજ ગાયકવાડ ફરી ટોસ હારી ગયો હતો. ટોસ હાર્યા બાદ ગાયકવાડે મજાકમાં કહ્યું કે તેમની ટીમ પહેલાથી જ જાણતી હતી કે તે ટોસ હારવાનો છે.
તમને જણાવી દઈએ કે ઋતુરાજ ગાયકવાડ આ ટૂર્નામેન્ટમાં 10માંથી 9 ટોસ હારી ચૂક્યો છે અને આ મામલે તેના ખરાબ પ્રદર્શનને જોઈને ધોનીએ તેને એક શાનદાર સલાહ આપી છે.
ગાયકવાડે કહ્યું કે ધોનીએ તેને કહ્યું કે તમે ટોસ પર કંટ્રોલ નથી કરી શકતા પરંતુ ટોસ જીતવો મહત્વપૂર્ણ છે અને તેથી પ્રેક્ટિસ પણ કરો.
ગાયકવાડે જણાવ્યું કે તેણે હવે ડગ આઉટમાં બેસીને ટોસની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. જોકે, પંજાબ સામે પણ ગાયકવાડ સિક્કાની રમત જીતી શક્યો નહીં.