
આઈપીએલ 2024માં ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલ છે. તેમણે ટી20 વર્લ્ડકપ 2024 માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. તેને રિઝર્વ ખેલાડી તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. ગિલના સ્થાને સિલેક્ટરોએ રોહિત શર્માની સાથે ઓપનિંગ માટે યશસ્વી જ્યસ્વાલની પસંદગી કરવામાં આવી છે. આઈપીએલ 2024માં તેમણે 10 મેચમાં 320 રન બનાવ્યા છે.

આઈપીએલ 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સની કેપ્ટનશીપ કરી રહેલા શ્રેયસ અય્યરને પણ સિલેક્ટર્સે ટી 20 વર્લ્ડકપ 2024માં પસંદગી કરી નથી. છેલ્લા કેટલાક સમયથી ટી 20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તેનું પ્રદર્શન સારું રહ્યું નથી. તેમજ તેના ફિટનેસ પર પણ સવાલો ઉભા થયા હતા. બીસીસીઆઈએ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં પણ તેને સામેલ કર્યો નથી. આઈપીએલ 2024માં તેમણે માત્ર 251 રન બનાવ્યા છે.

શિખર ધવન ટી20 વર્લ્ડકપ 2024માં સ્થાન બનાવવાની રેસમાં નથી. તેમણે ભારત માટે છેલ્લી ટી 20 મેચ વર્ષ 2021માં શ્રીલંકા વિરુદ્ધ રમ્યો હતો. આઈપીએલ 2024માં તે પંજાબ કિંગ્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે. આઈપીએલ 2024માં તેમણે 152 રન બનાવ્યા છે.