
પંજાબ કિંગ્સ,કેકેઆર,એલએસજી અને રાજસ્થાન 2 જીત સાથે 4 પોઈન્ટ છે. મુંબઈ ઈન્ડિયન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની પાસે માત્ર 2 પોઈન્ટ છે. આ ટીમે હવે આગળની મેચ જીતવી જરુરી છે. ત્યારે તેના પ્લેઓફ માટે દરવાજા ખુલશે. હજુ કેટલીક મેચ બાકી છે, હવે પોઈન્ટ ટેબલ વધુ રસપ્રદ જોવા મળશે.

મંગળવારે એટલે કે 8 એપ્રિલે બે મેચ રમાશે. દિવસની પહેલી મેચમાં, KKR અને LSG ટીમો એકબીજા સામે ટકરાશે. આ મેચ ઇડન ગાર્ડન્સ ખાતે રમાશે.

આ પછી, બીજી મેચ ચંદીગઢમાં રમાશે, જ્યાં પંજાબ કિંગ્સ CSK સામે ટકરાશે. આ મેચ ચારેય ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનવાની છે. જીત અને હાર પછી, પોઈન્ટ ટેબલમાં ફરીથી ફેરફાર થશે.