
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ બાદ ફરી એકવાર રમતો શરૂ થવા જઈ રહી છે. BCCIએ IPL 2025ની બાકી રહેલી મેચોનું નવું શેડ્યૂલ જાહેર કર્યું છે. અગાઉ, બંને દેશો વચ્ચેના તણાવને કારણે લીગને એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવી હતી.

બીજી તરફ, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પણ પહેલા તેની ક્રિકેટ લીગને દુબઈ ખસેડવાની જાહેરાત કરી હતી અને પછી પરવાનગી ન મળતા PCBએ પાકિસ્તાન સુપર લીગ 2025ને પણ સ્થગિત કરી દીધી હતી. હવે PCBએ PSL ફરી શરૂ કરવાની તારીખ પણ જાહેર કરી છે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પાકિસ્તાન ક્રિકેટ લીગ 2025ની બાકી રહેલી મેચો માટે નવું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ લીગ 17 મેથી ફરી શરૂ થશે. BCCI એ પણ આ તારીખથી જ IPL શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આનો અર્થ એ થયો કે PCB એ અહીં પણ ભારતની નકલ કરવાનો પ્રયાસ કર્યો છે.

PCBના ચેરમેન મોહસીન નકવીએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી અને લીગ અંગે અપડેટ આપ્યું. તેમણે પોસ્ટમાં લખ્યું, 'HBL PSL ત્યાંથી શરૂ થશે જ્યાંથી તે બાકી હતું. 6 ટીમો, 0 ડર. 17 મેથી શરૂ થતી 8 રોમાંચક મેચો માટે તૈયાર થઈ જાઓ, જે 25 મેના રોજ ગ્રાન્ડ ફિનાલે સુધી ચાલશે. બધી ટીમોને શુભકામનાઓ.'

PSLએ સોમવારે ફ્રેન્ચાઈઝીઓ સાથે બેઠક યોજી હતી. પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ માટે સૌથી મોટો તણાવ વિદેશી ખેલાડીઓની ઉપલબ્ધતાનો છે. અહેવાલો અનુસાર, ઘણા વિદેશી ખેલાડીઓ પાકિસ્તાન પાછા આવવા માંગતા નથી. ખરેખર, ભારત-પાકિસ્તાન તણાવ દરમિયાન વિદેશી ખેલાડીઓ ખૂબ ડરી ગયા હતા અને તેઓ શક્ય તેટલી વહેલી તકે પાકિસ્તાન છોડવા માંગતા હતા.

PSL 2025માં કુલ 8 મેચ રમાશે જેમાં એલિમિનેટર, ક્વોલિફાયર અને ફાઈનલનો સમાવેશ થાય છે. આ બધી મેચ રાવલપિંડી, મુલતાન અને લાહોરમાં રમાશે. ક્વોલિફાયર અને બંને એલિમિનેટર લાહોરમાં યોજાશે. લાહોર ફાઈનલનું પણ આયોજન કરશે. (All Photo Credit : PTI / X / INSTAGRAM)
Published On - 9:26 pm, Tue, 13 May 25