ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટી20 સીરિઝ ચાલું છે. આ સીરિઝમાં ભારતીય ટીમ આગળ છે. ટી20 સીરિઝ બાદ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વનડે મેચ રમાશે.જેમાંથી એક વનડે મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટી20 સીરિઝ ચાલું છે. ટીમ ઈન્ડિયાએ સીરિઝમાં પહેલા જ લીડ મેળવી છે. ત્રીજી ટી20 મેચ 28 જાન્યુઆરીના રોજ રાજકોટમાં રમાય હતી. આ મેચમાં ભારતીય ટીમની હાર થઈ હતી.
સીરિઝની પહેલી T20 મેચ 22 જાન્યુઆરીએ કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાઈ હતી, જેમાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટથી હરાવ્યું હતું. બીજી T20 મેચ 25 જાન્યુઆરીએ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે યોજાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ બે વિકેટથી જીત મેળવી હતી. ત્રીજી મેચ રાજકોટમાં રમાય હતી. જેમાં ઈંગ્લેન્ડની ટીમે ભારતને 26 રનથી હાર આપી હતી.
ઈંગ્લેન્ડે રાજકોટ મેચ જીતીને સિરીઝ 1-2 પર લાવી દીધી છે. ત્રીજી ટી20 મેચ રાજકોટમાં રમાય હતી. ટી 20 મેચ બાદ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વનડે મેચ રમાશે. 3 વનડે મેચમાંથી એક મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વનડે મેચ રમાશે.
ભારત અને ઇંગ્લેન્ડની વનડે સીરિઝનું શેડ્યુલ જોઈએ તો, 6 ફેબ્રુઆરી - પહેલી વનડે, નાગપુર (ભારતીય સમય મુજબ બપોરે 1:30 વાગ્યે), 9 ફેબ્રુઆરી - બીજી વનડે, કટક (ભારતીય સમય મુજબ બપોરે 1: 30 વાગ્યે),12 ફેબ્રુઆરી - ત્રીજી વનડે, અમદાવાદ (ભારતીય સમય મુજબ બપોરે 1:30 વાગ્યે)
ભારતીય ટીમ માટે વનડે સીરિઝ ખુબ મહત્વની રહેવાની છે. તમને જણાવી દઈએ કે, વનડે સીરિઝ દરમિયાન રોહિત શર્મા અને વિરાટ કોહલી પર ચાહકોની નજર રહેશે. આ બંન્ને ખેલાડી ટી20માંથી સંન્યાસ લઈ ચૂક્યા છે.
Published On - 1:07 pm, Wed, 29 January 25