
એ જોવાનું પણ રસપ્રદ રહેશે કે, આ વખતે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાશે, ત્યારે કોઈ બેટ્સમેન સદી ફટકારશે કે ચૂકી જશે. કારણ કે આ બંને ટીમો પહેલાં જ્યારે પણ ટકરાઈ છે, ત્યારે કોઈ બેટ્સમેને ક્યારેય સદી ફટકારી નથી.

અમે એશિયા કપ જ નહી પરંતુ ટી20 મેચની વાત કરી રહ્યા છે. જ્યારે બંન્ને ટીમો વચ્ચે આમને સામને થઈ છે. ત્યારે મોટો સ્કોર બનાવનાર વિરાટ કોહલી રહ્યો છે. તેમણે વર્ષ 2022માં મેલબર્નમાં પાકિસ્તાન વિરુદ્ધ અણનમ 82 રનની ઈનિગ્સ રમી હતી.

પાકિસ્તાન માટે રિઝવાને સૌથી મોટી ઈનિગ્સ રમી છે.હવે વિરાટ કોહલી કે મોહમ્મદ રિઝવાન બંન્નેમાંથી કોઈ ટીમમાં નથી.આ વખતે જ્યારે 14 અને 21 સપ્ટેમ્બરે ટક્કર થશે, ત્યારે નવો હીરો કોણ ઉભરીને આવશે તે જોવાનું રહેશે.