IND vs NZ : ગૌતમ ગંભીર કેએલ રાહુલને નહીં કરે ડ્રોપ, આ ખેલાડી પૂણે ટેસ્ટમાંથી થશે બહાર !

|

Oct 22, 2024 | 4:51 PM

સરફરાઝ અહેમદ માટે પૂણે ટેસ્ટમાં રમવું મુશ્કેલ છે કારણ કે શુભમન ગિલ ફિટ થઈ ગયો છે અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરે KL રાહુલને સતત તક આપવાનું નક્કી કર્યું છે. પુણેમાં આસિસ્ટન્ટ કોચ ટેન ડેસકાર્ટે મેચ પહેલા મોટી વાતો કહી છે.

1 / 5
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પુણેમાં બીજી ટેસ્ટ મેચ રમાશે અને આ મેચ પહેલા મોટા સમાચાર એ છે કે કેએલ રાહુલ બીજી મેચમાં પણ રમશે. આસિસ્ટન્ટ કોચ ટેન ડેસકાર્ટે પ્રેસ કોન્ફરન્સમાં આ વાતનો ખુલાસો કર્યો છે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પુણેમાં બીજી ટેસ્ટ મેચ રમાશે અને આ મેચ પહેલા મોટા સમાચાર એ છે કે કેએલ રાહુલ બીજી મેચમાં પણ રમશે. આસિસ્ટન્ટ કોચ ટેન ડેસકાર્ટે પ્રેસ કોન્ફરન્સમાં આ વાતનો ખુલાસો કર્યો છે.

2 / 5
ડેસકાર્ટે કહ્યું કે ગૌતમ ગંભીર કેએલ રાહુલના ફોર્મથી ચિંતિત નથી. ગૌતમ ગંભીરે કેએલ રાહુલને સંજુ સેમસનની જેમ લાંબા ગાળાની તક આપવાનો નિર્ણય કર્યો છે. જો કેએલ રાહુલ પ્લેઈંગ ઈલેવનમાં રહેશે તો સરફરાઝ ખાનનું શું થશે?

ડેસકાર્ટે કહ્યું કે ગૌતમ ગંભીર કેએલ રાહુલના ફોર્મથી ચિંતિત નથી. ગૌતમ ગંભીરે કેએલ રાહુલને સંજુ સેમસનની જેમ લાંબા ગાળાની તક આપવાનો નિર્ણય કર્યો છે. જો કેએલ રાહુલ પ્લેઈંગ ઈલેવનમાં રહેશે તો સરફરાઝ ખાનનું શું થશે?

3 / 5
ટેન ડેસકાર્ટે કહ્યું કે પ્રથમ ટેસ્ટમાંથી બહાર બેઠેલા શુભમન ગિલ સંપૂર્ણપણે ફિટ છે અને તે પુણે ટેસ્ટમાં રમી શકે છે. તો આવી સ્થિતિમાં સરફરાઝ ખાનને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર બેસવું પડી શકે છે. સરફરાઝ ખાને બેંગ્લોર ટેસ્ટમાં સદી ફટકારી હતી. તેના બેટમાંથી 150 રનની ઈનિંગ નીકળી હતી. હવે જો તે પ્લેઈંગ ઈલેવનમાંથી ડ્રોપ કરશે તો તેની સાથે એક રીતે અન્યાય થશે.

ટેન ડેસકાર્ટે કહ્યું કે પ્રથમ ટેસ્ટમાંથી બહાર બેઠેલા શુભમન ગિલ સંપૂર્ણપણે ફિટ છે અને તે પુણે ટેસ્ટમાં રમી શકે છે. તો આવી સ્થિતિમાં સરફરાઝ ખાનને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર બેસવું પડી શકે છે. સરફરાઝ ખાને બેંગ્લોર ટેસ્ટમાં સદી ફટકારી હતી. તેના બેટમાંથી 150 રનની ઈનિંગ નીકળી હતી. હવે જો તે પ્લેઈંગ ઈલેવનમાંથી ડ્રોપ કરશે તો તેની સાથે એક રીતે અન્યાય થશે.

4 / 5
આસિસ્ટન્ટ કોચ ડેસકાર્ટે કહ્યું કે ટીમ ઈન્ડિયાના દરેક ખેલાડી પૂણે ટેસ્ટ માટે તૈયાર છે. રિષભ પંત પણ ઠીક છે પરંતુ તેને અંતે ઘૂંટણ વાળવામાં થોડી મુશ્કેલી પડી રહી છે. ડેસ્કોટનું આ નિવેદન એટલા માટે પણ મહત્વનું છે કારણ કે જો પંત નહીં રમે તો ટીમ ઈન્ડિયા કેએલ રાહુલ પાસેથી વિકેટકીપિંગ કરાવીને સરફરાઝને તક આપી શકે છે. પરંતુ પુણેમાં જે પ્રકારની પિચ છે તે જોઈને એવું લાગે છે કે ત્યાં નિયમિત વિકેટકીપરને રમવું વધુ સારું રહેશે. ટીમમાં ધ્રુવ જુરેલ પણ છે જે આ કામ કરી શકે છે.

આસિસ્ટન્ટ કોચ ડેસકાર્ટે કહ્યું કે ટીમ ઈન્ડિયાના દરેક ખેલાડી પૂણે ટેસ્ટ માટે તૈયાર છે. રિષભ પંત પણ ઠીક છે પરંતુ તેને અંતે ઘૂંટણ વાળવામાં થોડી મુશ્કેલી પડી રહી છે. ડેસ્કોટનું આ નિવેદન એટલા માટે પણ મહત્વનું છે કારણ કે જો પંત નહીં રમે તો ટીમ ઈન્ડિયા કેએલ રાહુલ પાસેથી વિકેટકીપિંગ કરાવીને સરફરાઝને તક આપી શકે છે. પરંતુ પુણેમાં જે પ્રકારની પિચ છે તે જોઈને એવું લાગે છે કે ત્યાં નિયમિત વિકેટકીપરને રમવું વધુ સારું રહેશે. ટીમમાં ધ્રુવ જુરેલ પણ છે જે આ કામ કરી શકે છે.

5 / 5
જ્યારે ટેન ટેન ડેસકાર્ટેને પૂછવામાં આવ્યું કે વોશિંગ્ટન સુંદરને અચાનક ટીમમાં શા માટે લાવવામાં આવ્યો, તો તેણે કહ્યું કે અક્ષર પટેલ પહેલેથી જ ટીમમાં છે. પરંતુ ટીમ ઈન્ડિયાને એવો બોલર જોઈતો હતો જે ડાબા હાથના બેટ્સમેનો સામે બોલિંગ કરી શકે. ટીમ ઈન્ડિયાને તે વિકલ્પની જરૂર હતી. ડેસ્કેટીએ કહ્યું કે રણજી ટ્રોફીમાં સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓને તક મળી રહી છે તે સારી વાત છે. (All Photo Credit : PTI / Getty Images)

જ્યારે ટેન ટેન ડેસકાર્ટેને પૂછવામાં આવ્યું કે વોશિંગ્ટન સુંદરને અચાનક ટીમમાં શા માટે લાવવામાં આવ્યો, તો તેણે કહ્યું કે અક્ષર પટેલ પહેલેથી જ ટીમમાં છે. પરંતુ ટીમ ઈન્ડિયાને એવો બોલર જોઈતો હતો જે ડાબા હાથના બેટ્સમેનો સામે બોલિંગ કરી શકે. ટીમ ઈન્ડિયાને તે વિકલ્પની જરૂર હતી. ડેસ્કેટીએ કહ્યું કે રણજી ટ્રોફીમાં સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓને તક મળી રહી છે તે સારી વાત છે. (All Photo Credit : PTI / Getty Images)

Next Photo Gallery