
મેચ દરમિયાન પંતના પગમાં બોલ વાગ્યો હતો અને તેણે મેદાન છોડવું પડ્યું હતું. રોહિતે કહ્યું કે બોલ એ જ પગમાં વાગ્યો હતો જેના પર સર્જરી કરવામાં આવી હતી. રોહિતના કહેવા પ્રમાણે, પંતના પગમાં સોજો છે અને તેની ઈજા કેટલી ગંભીર છે તે પછીથી જાણવા મળશે.

રોહિત શર્માએ પણ સ્વીકાર્યું કે ભારતીય બેટ્સમેનોની શોટ પસંદગી સારી ન હતી. ટીમ માટે આ ખરાબ દિવસ હતો. કેટલીકવાર તમે જે કરવા માંગો છો તે તમને મળતું નથી. (All Photo Credit : PTI)