IND vs ENG : ગૌતમ ગંભીર-સૂર્યકુમાર યાદવ મોહમ્મદ શમીને તક નથી આપી રહ્યા? કોચે આપ્યો જવાબ

મોહમ્મદ શમી ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે T20 મેચમાં રમ્યો નહોતો. બેટિંગ કોચ સિતાંશુ કોટકે હવે તેના પર એક વિચિત્ર નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે શમી સંપૂર્ણપણે ફિટ છે. પરંતુ સવાલ એ છે કે જ્યારે મોહમ્મદ શમી ફિટ છે તો પછી તેને શા માટે પ્લેઈંગ-11 માં રમાડાવામાં નથી આવી રહ્યો?

| Updated on: Jan 27, 2025 | 10:04 PM
4 / 5
મોહમ્મદ શમી વર્લ્ડ કપ 2023ની ફાઈનલ બાદથી ઈન્ટરનેશનલ ક્રિકેટથી દૂર છે. આ ખેલાડી વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરતા ઈજાગ્રસ્ત થયો હતો. આ ખેલાડીના ઘૂંટણ અને પગની ઘૂંટી બંને ઈજાગ્રસ્ત થયા હતા. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં શમીનું પગની ઘૂંટીનું ઓપરેશન પણ થયું હતું.

મોહમ્મદ શમી વર્લ્ડ કપ 2023ની ફાઈનલ બાદથી ઈન્ટરનેશનલ ક્રિકેટથી દૂર છે. આ ખેલાડી વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરતા ઈજાગ્રસ્ત થયો હતો. આ ખેલાડીના ઘૂંટણ અને પગની ઘૂંટી બંને ઈજાગ્રસ્ત થયા હતા. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં શમીનું પગની ઘૂંટીનું ઓપરેશન પણ થયું હતું.

5 / 5
તાજેતરમાં જ શમીએ વિજય હજારે ટ્રોફી અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમીને પોતાની મેચ ફિટનેસ સાબિત કરી હતી. હવે જોવાનું એ રહે છે કે શમી ફરી એકવાર ભારતીય પ્લેઈંગ ઈલેવનમાં ક્યારે જોવા મળશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી T20 મેચ મંગળવારે રાજકોટમાં રમાશે. ટીમ ઈન્ડિયા શ્રેણીમાં 2-0થી આગળ છે, તેની પાસે રાજકોટમાં જ શ્રેણીમાં અજેય લીડ મેળવવાની તક છે. (All Photo Credit : PTI / X)

તાજેતરમાં જ શમીએ વિજય હજારે ટ્રોફી અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમીને પોતાની મેચ ફિટનેસ સાબિત કરી હતી. હવે જોવાનું એ રહે છે કે શમી ફરી એકવાર ભારતીય પ્લેઈંગ ઈલેવનમાં ક્યારે જોવા મળશે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી T20 મેચ મંગળવારે રાજકોટમાં રમાશે. ટીમ ઈન્ડિયા શ્રેણીમાં 2-0થી આગળ છે, તેની પાસે રાજકોટમાં જ શ્રેણીમાં અજેય લીડ મેળવવાની તક છે. (All Photo Credit : PTI / X)