
રોહિત શર્મા અહિ 7 વનડે મેચ રમી 354 રન બનાવ્યા છે. તે 100થી વધુની સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરે છે. અમદાવાદના આ સ્ટેડિયમ પર રોહિત શર્માએ 3 અડધી સદી ફટકારી છે પરંતુ સદી ફટકારી શક્યો નથી. હવે આશા છે કે, 12 ફેબ્રુઆરીના દિવસે તે ચાહકોની આ આશા પૂર્ણ કરે.

ચેમ્પિયન ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાની આ છેલ્લી મેચ છે. ભારતને હજુ એક આઈસીસી ટૂર્નામેન્ટ જીતવાની રહેશે. જેમાં નિશ્ચિત રુપથી કોહલી અને રોહિતની મહત્વની ભૂમિકા હશે. ભારતની પહેલી ચેમ્પિયન ટ્રોફી મેચ બાંગ્લાદેશ વિરુદ્ધ 20 ફેબ્રુઆરીના દિવસે છે. ત્યારબાદ 23 ફેબ્રુઆરીના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે.

હવે જોવાનું રહેશે કે, છેલ્લી વનડે મેચમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ છે અને ત્યારબાદ ચેમ્પિયન ટ્રોફીમાં ભારતીય ટીમ કેવું પ્રદર્શન કરે છે. પરંતુ તમામની નજર વિરાટ કોહલી અને રોહિત શર્મા પર રહેવાની છે.