IND vs ENG: વૈભવ સૂર્યવંશી અને પાણીની બોટલ પર કેમ મચ્યો વિવાદ? અશ્વિને આપ્યો સ્પષ્ટ જવાબ

વૈભવ સૂર્યવંશીને હજુ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી નથી. આયર્લેન્ડ સામેની T20 શ્રેણી દરમિયાન તે ટીમ સાથે રહીને સાથી ખેલાડીઓને પાણી પહોંચાડતો જોવા મળ્યો, જેના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ કે ઈંગ્લેન્ડમાં પણ તે આ જ કરશે અને તેને તક નહીં મળે. આ અંગે નવી ચર્ચા શરુ થતા હવે પૂર્વ સ્પિનર આર. અશ્વિને પોતાની સ્પષ્ટ અને મહત્વપૂર્ણ પ્રતિક્રિયા આપી છે.

| Updated on: Jul 01, 2026 | 5:39 PM
1 / 5
વૈભવ સૂર્યવંશીને આયર્લેન્ડ સામેની T20 શ્રેણીમાં ડેબ્યૂ કરવાની તક મળી નહોતી. હવે ઈંગ્લેન્ડ સામેની શ્રેણી દરમિયાન પણ તે બેન્ચ પર બેઠેલો અને મેદાનમાં પાણી લઈને જતો જોવા મળશે તેવી ચર્ચા ચાલી રહી છે, જેને લઈ કેટલાક ચાહકોએ ટીમ મેનેજમેન્ટની ટીકા શરૂ કરી છે. આ અંગે સોશિયલ મીડિયામાં શરુ થયેલી ચર્ચા પર પૂર્વ સ્ટાર સ્પિનર અશ્વિને જવાબ આપ્યો છે.

વૈભવ સૂર્યવંશીને આયર્લેન્ડ સામેની T20 શ્રેણીમાં ડેબ્યૂ કરવાની તક મળી નહોતી. હવે ઈંગ્લેન્ડ સામેની શ્રેણી દરમિયાન પણ તે બેન્ચ પર બેઠેલો અને મેદાનમાં પાણી લઈને જતો જોવા મળશે તેવી ચર્ચા ચાલી રહી છે, જેને લઈ કેટલાક ચાહકોએ ટીમ મેનેજમેન્ટની ટીકા શરૂ કરી છે. આ અંગે સોશિયલ મીડિયામાં શરુ થયેલી ચર્ચા પર પૂર્વ સ્ટાર સ્પિનર અશ્વિને જવાબ આપ્યો છે.

2 / 5
આ સમગ્ર મુદ્દે પૂર્વ ભારતીય સ્પિનર આર. અશ્વિને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ખેલાડીઓને પાણી પહોંચાડવું કોઈ અપમાનજનક કામ નથી. તેના મતે દરેક ક્રિકેટર પોતાની કારકિર્દીની શરૂઆતમાં આવી જવાબદારીઓ નિભાવતો હોય છે અને તેમાં કોઈ શરમની વાત નથી.

આ સમગ્ર મુદ્દે પૂર્વ ભારતીય સ્પિનર આર. અશ્વિને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ખેલાડીઓને પાણી પહોંચાડવું કોઈ અપમાનજનક કામ નથી. તેના મતે દરેક ક્રિકેટર પોતાની કારકિર્દીની શરૂઆતમાં આવી જવાબદારીઓ નિભાવતો હોય છે અને તેમાં કોઈ શરમની વાત નથી.

3 / 5
અશ્વિને યાદ અપાવ્યું કે તે પણ પોતાના શરૂઆતના દિવસોમાં બોલ બોય રહ્યો હતો અને ભારતીય ખેલાડીઓને પાણી પહોંચાડતો હતો. તેણે કહ્યું કે ટીમ સાથે રહેવું અને ડ્રેસિંગ રૂમનું વાતાવરણ સમજવું પણ યુવા ખેલાડીઓના વિકાસનો મહત્વનો ભાગ છે.

અશ્વિને યાદ અપાવ્યું કે તે પણ પોતાના શરૂઆતના દિવસોમાં બોલ બોય રહ્યો હતો અને ભારતીય ખેલાડીઓને પાણી પહોંચાડતો હતો. તેણે કહ્યું કે ટીમ સાથે રહેવું અને ડ્રેસિંગ રૂમનું વાતાવરણ સમજવું પણ યુવા ખેલાડીઓના વિકાસનો મહત્વનો ભાગ છે.

4 / 5
વૈભવના ભવિષ્ય વિશે અશ્વિને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેના મતે IPLમાં શાનદાર પ્રદર્શન કરનાર આ યુવા બેટ્સમેનને લાંબા સમય સુધી બહાર રાખવો મુશ્કેલ છે અને યોગ્ય સમયે તેને તક ચોક્કસ મળશે.

વૈભવના ભવિષ્ય વિશે અશ્વિને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેના મતે IPLમાં શાનદાર પ્રદર્શન કરનાર આ યુવા બેટ્સમેનને લાંબા સમય સુધી બહાર રાખવો મુશ્કેલ છે અને યોગ્ય સમયે તેને તક ચોક્કસ મળશે.

5 / 5
કેપ્ટન શ્રેયસ અય્યરે પણ સંકેત આપ્યો છે કે પ્લેઈંગ ઈલેવનની પસંદગી ટીમના કોમ્બિનેશન અને ફોર્મના આધારે થશે. તેથી વૈભવના ડેબ્યૂ માટે હજુ રાહ જોવી પડી શકે, પરંતુ ટીમ સાથેનો આ અનુભવ તેના ભવિષ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. (PC:PTI/X)

કેપ્ટન શ્રેયસ અય્યરે પણ સંકેત આપ્યો છે કે પ્લેઈંગ ઈલેવનની પસંદગી ટીમના કોમ્બિનેશન અને ફોર્મના આધારે થશે. તેથી વૈભવના ડેબ્યૂ માટે હજુ રાહ જોવી પડી શકે, પરંતુ ટીમ સાથેનો આ અનુભવ તેના ભવિષ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. (PC:PTI/X)

Published On - 5:33 pm, Wed, 1 July 26

Follow Us
Loading...
Unable to load recommendations.