
ગિલ ઉપરાંત શ્રેયસ અય્યરે 78 રનની ઈનિંગ રમી, જ્યારે વિરાટ કોહલીએ પણ 52 રન બનાવ્યા. વિરાટ કોહલીએ 451 દિવસ પછી ODI ક્રિકેટમાં અડધી સદી ફટકારી હતી.

ભારતીય ટીમના તમામ બોલરોને વિકેટ લેવામાં સફળતા મળી હતી. અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલે 2-2 વિકેટ, જ્યારે વોશિંગ્ટન સુંદર અને કુલદીપ યાદવે એક-એક વિકેટ લીધી હતી.

ઈંગ્લેન્ડની હારનું મુખ્ય કારણ તેના બેટ્સમેન હતા. સોલ્ટ, ડકેટ, બેન્ટન, રૂટ, બ્રુક બધાએ સારી શરૂઆત કરી હતી પરંતુ તેમાંથી કોઈ પણ તેને મોટા સ્કોરમાં રૂપાંતરિત કરી શક્યું નહીં. બેન્ટને સૌથી વધુ 38 રન બનાવ્યા હતા. ડકેટે 34, સોલ્ટે 23, રૂટે 24, બ્રુકે 19, લિવિંગસ્ટોને 9 અને બટલરે ફક્ત 6 રન બનાવ્યા હતા.

ભારતીય ટીમે છેલ્લા 11 વર્ષમાં ઈંગ્લેન્ડ સામે સૌથી મોટી ODI જીત મેળવી છે. રનની દ્રષ્ટિએ ઇંગ્લેન્ડ સામે આ બીજી સૌથી મોટી જીત છે. ટીમ ઈન્ડિયાએ 2008માં રાજકોટ વનડેમાં ઈંગ્લેન્ડને 158 રનથી હરાવ્યું હતું અને હવે અમદાવાદમાં 142 રનથી જીત મેળવી છે.

એટલું જ નહીં, રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતે ચોથી વખત દ્વિપક્ષીય શ્રેણીમાં ક્લીન સ્વીપ હાંસલ કર્યો છે. તેણે ધોની અને વિરાટને પાછળ છોડી દીધા છે. (All Photo Credit : X / BCCI / PTI)
Published On - 9:20 pm, Wed, 12 February 25